________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
सर्वेऽपि मधुराकाराः, सर्वेऽपिद्युतिशालिनः सर्वेऽपि - समताभाजः, વૈવિમમતોજ્જિતા: (૨૨/૨૯૪) (અર્થ : બધા જ ચહેરા કાંતિમાન હતા. બધાંનાં મોં જોતાં મોં ઉપર સમતા-શાન્તિનું સરોવર લહેરાતું હોય તેમ લાગતું હતું. મમત-આગ્રહ-મોહની તો આછેરી ઝલક પણ જણાતી નથી.) રાજા વિચારે છે જો શિષ્યો આવા છે તો વજ તો કેવાય હશે ! અને તેઓની દર્શનની તરસ છીપી. થોડી જ વારે વજ તો વિશાળ શિષ્યવૃન્દ સાથે તારાથી પરિવરેલા ચન્દ્રની જેમ શોભતા જ સામે જોવા મળ્યા. રાજા ધન્ય બન્યો. દર્શનથી નેત્ર. વન્દનથી ગાત્ર (શરીર) અને વચનશ્રવણથી શ્રોત્ર ધન્ય બન્યાં. હૃદય ગદ્ગદ્ બન્યું. આંખો વિસ્ફારિત બની. મોં ઉપર પ્રસન્નતાનું તેજોવલય રચાઈ ગયું.
રાજા તો મહેલમાં જઈ રાણીઓને કહેવા લાગ્યો. “તમે આવતી કાલની રાહ ન જુઓ. આજે જ શ્રીવજસ્વામી ભગવાનનાં દર્શન કરવા જાવ. તમારાં નેત્ર, ગાત્ર (દેહ) અને શ્રોત્ર (કાન) ધન્ય થશે - કૃતાર્થ થશે. તમારું જીવવું સાર્થક બની જશે.''
૪૧
સમય થયો છે એટલે એઓના સંઘભક્તિના બીજા પ્રસંગોમાં ન જતાં છેલ્લા બે પ્રસંગો-એક સંઘભક્તિનો અને એક આત્મજાગૃતિનો વર્ણવી લઈએ. મહાપુરુષોના જીવનપ્રસંગોના ગાન ગાતાં તો ધરવ જ થતો નથી. ગુણ મેળવવાની ઝંખના છે ને ! તેમાંય આ તો જ્ઞાનગુણની વાત ! શ્રી કાંતિવિજયજી મહારાજે સુજંસવેલીમાં કહ્યું છે.
“જ્ઞાનીના ગુણ ગાવતાંજી હુઈ રસનાની ચોખ.” (જ્ઞાની પુરુષના ગુણ ગાવાથી રસના - જીભ પવિત્ર થાય છે.)
આવા જ્ઞાની ગુણ મહારાજ મળે તો પૂરેપૂરા સમર્પિત થઈ જવા જેવું છે. તેમને મોક્ષ જ મળે ત્યાં સુધી ભવોભવ તેમનો સાથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org