________________
૩૯
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
થવા લાગ્યો. દંગ થઇ ગયા. આવો અદ્ભુત અનુપ્રેક્ષાપૂર્વકનો અર્થ મળ્યો, એવી રોચક શૈલીમાં સમજવા મળ્યું બધું. મૂળ સમેત મનમાં ઊતરી ગયું. આવી લબ્ધિનો અનુભવ પહેલી વાર થયો.
ઉચિત વિનયથી યુક્ત સેવા-ભક્તિ કરી. ત્રણ દિવસ તો પલકારામાં વીતી ગયા. ચોથે દિવસે ગુરુમહારાજ પધારી ગયા. વંદનાદિ વિધિ થયા બાદ ગુરુમહારાજે પૂછ્યું “કેમ! તમારી સૂત્રવાચના, અર્થવાચના વગેરે બરાબર ચાલ્યાં? આનંદ આવ્યો? સંતોષ થયો?’’ આવા પ્રશ્નોના ઉત્તરમાં હાસ્ય સાથે શિષ્યોએ કહ્યું કે આપ હજી વધારે દિવસો ત્યાં જ રોકાયા હોત તો વધુ આનંદ આવત !
ગુરુમહારાજે કહ્યું ! આ બધા સૂત્રો તો તમારે ફરીથી ધારવા પડશે. હજી વજે તે તે સૂત્રના યોગવહન કર્યા નથી. આ બધું જ્ઞાન તો તેણે Īાહલેા (કાન વડે ચોરી) ગ્રહણ કર્યું છે.
આપણા દ્વારા આવા જ્ઞાનીપુરુષની (માત્ર તે બાળ છે માટે) આશાતના ન થઇ જાય તેવા જ આશયથી આ પ્રયોગ કર્યો હતો. તમારા ખ્યાલમાં રહે કે આ કેવા જ્ઞાની છે.
પછી તો વિધિસહિત બધા આગમોનું જ્ઞાન સાક્ષી માત્ર થઇને ગુરુમહારાજે આપ્યું. હજી પણ વધુ જ્ઞાન ઝીલવાની ક્ષમતા છે. માટે મારા કરતાં પણ વિશેષ જ્ઞાનીની પાસે જ્ઞાન લેવા માટે મોકલવા જોઇએ તેવા હેતુથી
‘‘તવ સન્નિહિતા સન્તુ સૌમ્ય ! શાસન દેવતા'' ( ૧૨/૨૪) (તારા સામીપ્યમાં રહેજો વત્સ ! શાસન દેવતા)
શાસનદેવ તને સહાય કરે એવા શુભાશીર્વાદનું ભાથું બંધાવીને બે શિષ્યો સાથે વજસ્વામીને આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજ પાસે મોકલવામાં આવ્યા. ત્યાં જઇને પૂર્વ સુધીનું જ્ઞાન તેઓએ ગ્રહણ કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org