________________
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૨)
- ૩૭ - સાંજે બધા સાધુ વજનવિધિ માટે આચાર્ય શ્રી સિંહગિરિજી પાસે આવ્યા એટલે તેઓને કહ્યું કે જરૂરી કારણસર મારે બે-ત્રણ દિવસ માટે બાજુના ગામમાં જવાનું છે. બે-ત્રણ ઠાણાં જઈશું. જઈને પાછા આવી જઈશું. સાધુ મહારાજે પૂછ્યું. આપ તો પધારશો પણ પછી અમારી વાચનાનું શું? ગુરુમહારાજે કહ્યું કે વજ વાચના આપશે. આ વાક્ય સાંભળીને શિષ્યોએ વચનનો તુર્ત સહર્ષ સ્વીકાર કર્યો.
શાસ્ત્રકારોએ આ પ્રસંગની ખૂબ જ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. વજની વયે અત્યારે બાળવય છે. જે વાચના લેનાર છે તેમાં વૃદ્ધવયના પણ છે. વયમાં તો વૃદ્ધ છે જ. પણ પર્યાયમાં પણ ઘણા મોટા છે. વળી જે આગમગ્રન્થોની વાચના ચાલતી હતી તે ગ્રન્થો પણ મોટા હતા. જુદા જુદા હતા. આવું બધું જાણવા સમજવા છતાં સહર્ષ સ્વીકાર કર્યો તે વાતની ઉપદેશમાળાકારે ખાસ નોંધ લીધી છે– . . सिंहगिरिसुसीसाणं भदं गुरुवयणसद्दहंताणं ।
वयरो किर दाही वायणत्ति न विकोविअं वयणं ।। ९३ ॥
“વજ વાચના આપશે” એવા ગુરુવચનનો મોઢું મચકોડ્યા વિના સ્વીકાર કર્યો. એવા સિંહગિરિજીના શિષ્યોનું કલ્યાણ થાઓ.” આ ઉત્તમ શિષ્યોનાં અભત વિનયના આચારની પ્રશંસાનો તંતુ સળંગ ચાલ્યો છે. - તમે જેનાથી ઘણાં પરિચિત છો તે સિદ્ધચક્ર પૂજનમાં આ " શિષ્યોને યાદ કર્યા છે. શબ્દો આવા છે ધન્ય સૂત્રધાને શિખ્યા સિંહરિવિ શ્રીસિંહગિરિજીના તે શિષ્યોને ધન્ય છે જે આ રીતે સૂત્ર ભણે છે. ઠેઠ હમણાં ઓગણીસમા શતકમાં થઈ ગયેલા સંવેગી શિરોમણિ પૂજ્ય પંડિત શ્રી પઘવિજયજી મહારાજ જેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org