________________
•
૨ .
જ્ઞાનરત્નનાં અજવાળાં (જ્ઞાનપંચમી-૧) એ પ્રભુકૃપા પ્રાપ્ત વસ્તુ છે તેનું દર્શન થાય છે.
એક સાધ્વીજી મહારાજને સત્તાવનામાં શ્રીદશવૈકાલિક સૂત્ર 100 વાર લખવાનું હતું અને તેમણે એની ૧00 પ્રત લખી હતી. તે પૈકીની નવમી પ્રત સૂરતના ભંડારમાં હાલ વિદ્યમાન છે.
આજના શ્રમણ સંઘની અને શ્રમણી સંઘની જ્ઞાનોપાસનાનું ચિત્ર પ્રમાણમાં સારું છે છતાં એક મહત્ત્વની ખામી તો રહે જ છે. વર્ષો પહેલાં (વિ.સં. ૧૯૮૯માં) શ્રી મહાનલાલ દ. દેશાઈએ જ બળાપો કાઢ્યો છે તેનો ઉત્તર હજીયે શ્રીસંઘે આપવાનો બાકી છે તે વાત આ પ્રમાણેની છે.
આખા હિંદમાં જૈનતીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદુ હોય, વિચારકોની ગોષ્ઠી હોય અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકો આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કોઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જૈન વિદ્યાપીઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજવી વિદ્વાનું નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય, અને પોતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણીયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તો બન્ને ચેતના પૂરે છે. જ્યારે આજનાં આપણાં તીર્થોમાં તપ અને વિદ્યાને નામે કાંઇપણ આકર્ષે તેવું નથી. ગામ અને શહેરનાં દેરાસરોમાં પહેલાં ક્યાંક ક્યાંક ધાર્મિક શાળાઓ રહેતી તે પણ જોવામાં નથી આવતી. દરેક તીર્થમાં મોટા મોટા દેરાસરોના ભંડારમાં જ્ઞાન નિમિત્તેનું દ્રવ્ય હોય છે. તેનો ઉપયોગ પણ થતો નથી ને તે એકઠું થયાં કરે છે. એવા મોટા ભંડારોના વાર્ષિક કે ત્રિવાર્ષિક કાર્યવૃત્તાંત-અહેવાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org