________________
જ્ઞાનપદ ભજીએ રે
મહારાજની સામે, મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં છપાતાં તેમના સંસ્કૃત, પ્રાકૃત સંપાદનોના પ્રફના થોકડા પડ્યા હોય. તે તપાસવા ઉપરાંત નવાં સંશોધનો અને પ્રેસ-કોપીઓની મેળવણીનાં કામો ચાલતાં હોય. પૂ. જશવિજયજી મહારાજ પ્રકીર્ણ હસ્તલિખિત પાનાંઓને પણ તપાસીને કાળજીપૂર્વક ગોઠવતા હોય. દેશપરદેશના વિદ્વાનો વારંવાર આવી ચઢતા હોય અને તેમની સાથે વિવિધ પ્રકારની જ્ઞાનચર્ચાઓ . ચાલતી હોય. લગભગ સાડત્રીસ વર્ષ બાદ, આપણા દેશની તેમજ વિદેશની અનેક વિદ્યા સંસ્થાઓના અનુભવ પછી લખું છું કે સાગરના ઉપાશ્રયનું વાતાવરણ કોઈ પણ દેશની વિશિષ્ટ સંશોધન-સંસ્થાની બરોબરી કરે એમ હતું. અથવા એમ કહું કે એવી સંસ્થાઓ કરતાં ચઢિયાતું હતું. તો પણ કશી અત્યુક્તિ નથી, કેમ કે ધારાધોરણો કે દરખાસ્તોની જંજાળો કે ઓફિસકામની પળોજણોનો ત્યાં સદંતર અભાવ હતો. સોલંકી યુગના પાટણમાં સ્થળે સ્થળે આવેલા ઉપાશ્રયો તેમજ સહસ્ત્રલિંગ સરોવરના તીર પ્રદેશના વિદ્યામઠો સારસ્વત સમૃદ્ધિનું સાતત્ય જાણે કે ત્યાં અનુભવાતું હતું.”
આટલું ટૂંકમાં જોયા પછી આજે પણ શ્રમણસંઘમાં જ્ઞાનના ક્ષેત્રે ઇતિહાસને પણ નોંધ લેવી પડે તેવું કામ ચાલે છે. નાનામોટા અનેક મુનિવરો-સૂરિવરો આ કાર્યમાં પરોવાયેલા છે જ. પણ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજની આ પ્રાચીન આગમ ગ્રન્થો, તેના ઉપરના નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે વિવરણગ્રન્થોમાં શુદ્ધ પાઠની ગવેષણામાં જે સૂઝ-બૂઝ, શ્રમ અને ધગશનાં દર્શન થાય છે, આજે (વિ.સં.૨૦૬૩) ૮૫ વર્ષની જૈફ વયે પણ જે તાજગી ફૂર્તિ અને દેવગુરુની કૃપાના પ્રભાવે તેઓ પૂર્વગ્રન્થોની ભાષા-શૈલી લઇને અનુસંધાન દેખાડે છે તે વસ્તુ વિરલ છે. મસ્તક ઝૂકી જાય, હાથ જોડાઈ જાય, હૈયું ભાવભીનું બની જાય તેવું એમનું જીવન છે. આજે સર્વગુણસંપન્ન તો કોણ મળે ! પણ શાસ્ત્રના માર્ગનું જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org