________________
શ્રી સિદ્ધસેન દીવાકરનું દૃષ્ટાંત
૨૯૯ (ખરેખર સિદ્ધસેન નામના સૂર્યનો અસ્ત થયો જણાય છે.) ત્યારે તે ભટ્ટે કહ્યું કે-- “હા, તેમજ થયું છે.” | ઇતિ વ્યંજનાનાં અન્યથાકરાણે સિદ્ધસેનપ્રબન્ધઃ //
વ્યંજનોને ન્યૂન કરવામાં દષ્ટાંત એકદા “રાજગૃહ” નગરમાં “શ્રી મહાવીર સ્વામી ” સમવસર્યા. તેમને વંદન કરવા માટે દેવો, વિદ્યાધરો, મનુષ્યો તથા અભયકુમાર સહિત “શ્રેણિક” રાજા આવ્યા. ભગવાનની પાસે ધર્મદેશના સાંભળીને સર્વ સભાજનો પાછા વળ્યા. તે વખતે કોઈક વિદ્યાધરને આકાશગામી વિદ્યાનું એક પદ વિસ્મરણ થયું, તેથી કરીને તે વારંવાર આકાશમાં થોડેક ઊંચે કૂદીને પાછો પૃથ્વી પર પડતો હતો. આ પ્રમાણે થતું જોઈને શ્રેણિક રાજાએ ભગવાનને પૂછયું કે- “હે સ્વામી! આ ખેચર (વિદ્યાધર) પાંખ વિનાના પક્ષીની જેમ આકાશમાં ઊડી ઊડીને કેમ વારંવાર નીચે પડે છે ?” ત્યારે ભગવાને તેને (રાજાને) વિદ્યાના પદનું વિસ્મરણ થયાનો વ્યતિકર (વૃત્તાંત) કહ્યો. તે સાંભળીને અભયકુમારે તે બેચર પાસે જઈને કહ્યું કે- “હે ખેચર! જો તમે મને તમારી સમાન વિદ્યાવાળો કરો તો તમારી વિદ્યાના અક્ષર ઓળખીને હું પુરા કરી આપું.” તે સાંભળીને વિદ્યાધર તે વાત અંગીકાર કરી. અભયકુમારને પદાનુસારી બુદ્ધિ (લબ્ધિ) હોવાથી એક પદ વડે અનેક પદોને જાણવાની શક્તિ હતી. તેથી તે વિદ્યાના બાકીના અક્ષરોને અનુસારે વિસ્મૃત થયેલા અક્ષરને જાણીને તેણે તે ખેચરને વિદ્યા પૂર્ણ કરી આપી. તે ખેચર પણ વિદ્યા સંપૂર્ણ થવાથી હર્ષિત થઈ અભયકુમારને વિદ્યાસાધનનો ઉપાય બતાવી પોતાને સ્થાને ગયો.
|| ઇતિ વ્યંજનાનાં ન્યૂન્તવે કથા. //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org