________________
૨૯૮
,,
જ્ઞાનપદ ભજીએ રે વસ્તુના સમૂહથી ભરેલો ૨, સોનામહોરથી ભરેલો ૩, અને હાર, અર્ધહાર વિગેરે અલંકારોથી ભરેલો ૪, એવા મોટા ચાર હાથીઓ મંગાવીને ગુરુને કહ્યું કે “ આ ગ્રહણ કરો. ” ગુરુ બોલ્યા કે-“ આ મારે કલ્પે નહીં. ” ફરીથી રાજાએ કહ્યું કે-“ત્યારે આપની ઇચ્છામાં આવે તેવા મારી પૃથ્વીમાંથી મોટા ચાર દેશો ગ્રહણ કરો.” ગુરુ બોલ્યા-“ તે પણ હું ઇચ્છતો નથી” “ ત્યારે આપની શી ઇચ્છા છે?” એમ રાજાના પૂછવાથી સૂરિ બોલ્યા કે-“ હે રાજા ! કાર નામના પુરમાં શિવાલય છે, તેથી પણ ઊંચો ચાર દ્વાર વાળો જૈન પ્રાસાદ કરાવો, અને પરિવાર સહિત જાતે ત્યાં આવીને પ્રતિમાની સ્થાપના તથા પ્રતિષ્ઠા સંબંધી ઉત્કૃષ્ટ મહોત્સવો કરો. તે સાંભળીને પુષ્પના અર્થી રાજાએ તે જ પ્રમાણે સર્વ કર્યું. આ પ્રમાણે જૈન મતની મહા ઉન્નતિ થવાથી સંઘ અત્યંત હર્ષ પામ્યો.
અનુક્રમે સૂરિ દક્ષિણમાં “ પ્રતિષ્ઠાન” (પેંઠ) નામના પુરમાં ગયા. ત્યાં પોતાના આયુષ્યનો અંત જાણીને અનશનાદિક વિધિ વડે કાળ કરી સ્વર્ગલોકને પામ્યા. આ વૃત્તાંત જણાવવા માટે ત્યાંના સંઘે એક વિદ્વાન વક્તા ભટ્ટ(બ્રાહ્મણ)ને ચિત્રકૂટ (ચિત્તોડ) મોકલ્યો. તે ભટ્ટ ચિત્રકૂટમાં જઇને સંઘની પાસે વારંવાર અર્ધો શ્લોક બોલવા લાગ્યો કે -
“વાની વાવિદ્યોતા, દ્યોતો રક્ષિળાપશે।''
(હમણાં દક્ષિણ દેશમાં વાદીરૂપી પતંગીઆઓ પ્રકાશ પામ્યા છે)
તે સાંભળીને જેને સરસ્વતી પ્રસન્ન થયેલી છે એવી “સિદ્ધા” નામની સિદ્ધસેનની બહેન બોલી કે -
‘“નૂનમસ્તાતો વાવી સિમેનો વિવાદ: // ?''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org