SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ સાધુઓના ઉપધાન વિષે દૃષ્ટાંત रागाउरे से आहवा पयंगे, आलोअलोले समुवेइ मच्चु ॥ અર્થ- જે પુરુષ રૂપને વિષે અત્યંત આસક્તિ પામે છે, તે અકાલે મૃત્યુને પામે છે, કારણ કે આલોક (દીવા) ના રૂપમાં આસક્ત થયેલાં પતંગિયાઓ રાગાતુર થઈને અકાળે મૃત્યુ પામે છે. પછી તે આભીરોએ દુઃખિત થવાથી તે કન્યાનું “અશકટા” અને તેણીના પિતાનું “અશકદાપિતા” એવું નામ પાડયું. તેથી ખેદ પામીને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેણે પોતાની પુત્રી કોઈને પરણાવી દીધી અને પોતે દીક્ષા લીધી. પછી તે સાધુએ ઉત્તરાધ્યયનના ત્રણ અધ્યયન સુધી ઠીક અભ્યાસ કર્યો. ચોથું અસંખય નામનું અધ્યયન ભણતા પૂર્વના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી બે આયંબિલ કરી બે દિવસ સુધી ભણ્યા છતાં પણ એકાદ માત્ર પણ હૃદયમાં રહ્યું નહીં. ત્યારે ગુરુએ તેને કહ્યું કે કે- “હે સાધુ! અસંખય અધ્યયનની અનુજ્ઞા કરો.” ત્યારે તેણે પૂછ્યું કે- “આ ભણવામાં મુખ્ય વિધિ કેવો છે ” ગુરુએ કહ્યું કે, “જ્યાં સુધી આ અધ્યયન આવડે નહિ, ત્યાં સુધી આયંબિલ તપ કરવાનો વિધિ છે.” તે સાંભળીને તે સાધુએ ઉત્સાહથી તે પ્રમાણે જ કરવા માંડ્યું. એટલે બાર વર્ષ સુધી આયંબિલ કરીને તેણે માત્ર બાર વત્તો (શ્લોકો) નો અભ્યાસ કર્યો. તેથી તેના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો. પછી સુખે કરીને (અલ્પ યત્નથી) બાકીનું સમગ્ર કૃત તે ભણ્યા. તેથી સાધુઓએ યોગના વિધિનું સમ્યક્ પ્રકારે આરાધન કરવું. શ્રાવકોના ઉપધાન વિષે કથા ચંપાપુરીમાં આહત ધર્મનો પરમ ભક્ત “જિનદાસ”નામે શ્રેષ્ઠી હતો. તેને “ઋષભદત્ત” અને “અજિતદત્ત” નામે બે પુત્રો હતા. તેમને પિતાએ બાલ્યાવસ્થામાં જ નમસ્કારાદિક સૂત્ર ભણાવ્યાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy