SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ જ્ઞાનપદ ભજીએ રે કારણને લીધે ઉપધાનનું વહન કરતા નથી, તેઓને નવકાર ગણવા, દેવવંદન કરવું, ઈરિયાવહી પડિક્કમવા, પ્રતિક્રમણ કરવું વિગેરે ક્રિયાઓ જીવનપર્યત કદાપિ શુદ્ધ થતી નથી. અને ભવાંતરે પણ તેમને તે ક્રિયાઓનો લાભ મળવો અસંભવિત છે. કેમકે જ્ઞાનના વિરાધકોને જ્ઞાનની દુર્લભતા પ્રતીત થાય છે. તેથી જ્ઞાનના આરાધનની ઈચ્છાવાળાએ ઉપધાન વિધિમાં યથાશક્તિ યત્ન કરવો. - સાધુઓના ઉપધાન (યોગ) વિષે દૃષ્ટાંત ગંગા નદીને કાંઠે કોઈ આચાર્ય ભગવંત ઘણા શિષ્યોને નિરંતર ભણાવવાથી તથા તેમના પ્રશ્નોના ઉત્તર આપવાથી રાત્રે પણ વિશ્રાંતિ પામતા નહીં. તેથી પોતાની સાથે જ દીક્ષિત થયેલા પણ થોડું ભણેલા પોતાના ભાઈને સ્વેચ્છાએ નિવાધિક સુખને ભોગવતા જોઈને જ્ઞાન ઉપર આદર રહિત થઈ વિશ્રામ લેવાની ઈચ્છાથી સ્વાધ્યાયને વખતે પણ અસ્વાધ્યાયનો સમય છે એમ કહેવા લાગ્યા. તે જ્ઞાનાતિચારની આલોચના કર્યા વિના મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થઈ ત્યાંથી વી કોઈ ગામડામાં આભીર(ભરવાડ)ના કુળમાં ઉત્પન્ન થયા. તે આભીર ભોગાદિકથી સુખી હતો. એકદા અત્યંત રૂપવાળી પોતાની પુત્રીને ગાડાના અગ્રભાગ પર બેસાડીને તે ઘી વેચવા માટે કોઈ નગર પ્રત્યે ચાલ્યો. તે વખતે તેની સાથે બીજા પણ ઘણા જુવાન આભીરો નગર પ્રત્યે જતા હતા. તેઓએ માર્ગમાં તે કન્યાનું અદ્ભુત રૂપ જોઈ પરવશ બની પોતપોતાનાં ગાડાં ઉન્માર્ગે ચલાવ્યાં, જેથી તે ગાડાં ભાગી ગયાં. રૂપમાં આસક્ત થયેલા પુરુષોને આ ગાડાં જેવી વસ્તુનું નુકસાન કઈ ગણત્રીમાં છે ? કાંઈજ નથી. તે વિષે પરમ28ષિનું વચન છે કે रुवेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावइ से विणासं, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy