________________
૨૬૮
જ્ઞાનપદ ભજીએ રે
પછી જ્યારે તેઓ પૌષધ તપને યોગ્ય થયા ત્યારે પિતાએ તેમને કહ્યું કે- “હે વત્સો ! સમ્યક્ પ્રકારે સૂત્રના આરાધનને માટે ચિત્તના એકાગ્રપણે ઉપધાન તપ વહન કરો, કારણ કે- “શક્તિમાન શ્રદ્ધાળુ પુરુષ અનુષ્ઠાનને (ક્રિયાને) વિધિ પૂર્વક સેવે છે (કરે છે) અને તે જો દ્રવ્યાદિક દોષથી હણાયેલો હોય તો પણ તે અનુષ્ઠાનનો પક્ષ કરે છે. એટલે અનુષ્ઠાનની જ પુષ્ટિ કર્યા કરે છે. આસન્નસિદ્ધિ જીવોને ક્રિયા કરવાના પરિણામ (ભાવ) સર્વદા હોય છે. અભવ્યને અને દુર્ભવ્ય જીવોને અવિધિને વિષે ભક્તિ હોય છે ને વિધિનો ત્યાગ હોય છે એટલે ક્રિયા પર અરુચિ હોય છે.” આ પ્રમાણે સાંભળીને કુશળ પુરુષોને વિષે અગ્રેસર અને લઘુ છતાં પણ બુદ્ધિએ કરીને મોટા એવા અજીતદત્ત “ભાવતું હતું અને વૈદ્યે કહ્યું” એમ માનીને આનંદથી નંદિ (નાંદ માંડવી) વિગેરે મહોત્સવપૂર્વક અપૂર્વ બહુમાન સહિત ઉપધાન તપને મુખ્ય વિધિ વડે જ વહન કર્યું. એનો મોટો ભાઈ તો સાંસારિક સુખમાં આસક્ત હતો, તથા પૌષધ ઉપવાસ વિગેરે ક્રિયાઓનું દુષ્કરપણું માનતો હતો, તેથી નિર્લજ્જતાદિ સાહસને ધારણ કરીને કહેતો કે –“સૂત્રો તો પ્રથમ જ અસ્ખલિત પણે ભણ્યા છીએ, માટે હવે ફોગટ દુષ્કર તપ કરવા રૂપ ક્લેશના આવેશનો આશ્રય કરવાથી શું ફળ છે? કહ્યું છે કે
‘‘અતિવોશેન યે ત્વ, ધર્મસ્યાતિમેળ ચ । शत्रूणां प्रणिपातेन, ते ह्यर्था मा भवन्तु मे ॥
અર્થ– કોઇ નીતિશ પુરુષ કહે છે કે - “ જે અર્થો (દ્રવ્ય અતિ ક્લેશથી પ્રાપ્ત થાય છે, તથા જે ધર્મનું ઉલ્લંઘન કરવાથી પ્રાપ્ત થાય છે, અને જે શત્રુઓને નમન કરવાથી પ્રાપ્ત થાય છે, તે અર્થો મને પ્રાપ્ત ન થાઓ. અર્થાત્ તેવા અર્થોને હું ઇચ્છતો નથી.’’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org