________________
ચોથો ઉપધાનાચાર
૨૬૧ ગૌતમ ! જેઓ બાળક છે તથા પુણ્યપાપને પણ નહીં જાણનારા છે, તેઓ પંચમંગલ ભણાવવાને સર્વથા અયોગ્ય છે. તેઓને પંચમંગલ મહાશ્રુતસ્કંધનો એક પણ આલાવો આપવો (શીખવવો) નહી. કેમકે અનાદિકાળ ભવભ્રમણ કરવાથી ઉપાર્જન કરેલા અશુભ કર્મરાશિને દહન કરવા સમર્થ એવા આ પંચમંગલને પામીને બાળજનો તેનું સારી રીતે આરાધના કરી શકે નહી, અને ઊલટા તે પંચમંગલને લઘુતા પમાડે. તેથી તેવા લોકોને કેવળ ધર્મકથા કહીને જ ભક્તિવાળા કરવા. પછી જ્યારે ધર્મની શ્રદ્ધાવાળા, દઢ ધર્મવાળા તથા ભક્તિયુક્ત થાય ત્યારે આ પ્રત્યાખ્યાનનો નિર્વાહ કરવામાં તે સમર્થ થાય અને તે પ્રમાણે થયેલ છે એમ જાણ્યા પછી જ તેને આ વિનયપધાન કરાવવું.
પછી ઉપધાન વહન કરનારને રાત્રિભોજનનું પણ બે પ્રકારે ત્રણ પ્રકારે, કે ચાર પ્રકારે (દુવિહાર, તિવિહાર કે ચોવિહારની રીતે) જેની જેવી શક્તિ હોય તે પ્રમાણે તેને પ્રત્યાખ્યાન કરાવવું. વળી હે ગૌતમ! પિસ્તાલીશ નવકારશી વડે એક ઉપવાસ થાય છે. તથા ચોવીશ પોરસી વડે, બાર પુરિમઢ વડે, દશ અપાઈ (અવઢ) વડે, ત્રણ નવી વડે, ચાર એકઠાણા વડે, બે આયંબિલ વડે અને એક શુદ્ધ આયંબિલ વડે એક ઉપવાસ થાય છે. (સાંસારિક રૌદ્ર ધ્યાન અને વિકથા રહિત તથા સ્વાધ્યાયમાં એકાગ્ર ચિત્તવાળાનું એક આયંબિલ માસક્ષમણથી પણ વધી જાય છે.) તેથી કરીને તે પ્રકારે અને તે રીતે ઉપધાન સંબંધી તપ કરે, પછી એની ગણત્રી કરીને જયારે એમ જણાય કે “હવે આ આટલા તપ ઉપધાનથીએ પંચમંગલ ભણવાને યોગ્ય થયો છે” ત્યારે ગુરુએ તેને ભણાવવો, અન્યથા ભણાવવો નહીં.”
ગૌતમસ્વામીજી પ્રશ્ન કરે છે કે- “હે ભગવાન્ ! ઘણા કાળ સુધીની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org