________________
૨૬૦
જ્ઞાનપદ ભજીએ રે
રાત્રિ અને દિવસના પ્રથમ અને છેલ્લા પ્રહરનો છે, પણ પંચમંગળ ભણવા ભણાવવાનો કાળ તો આઠે પ્રહરનો છે. તથા પંચમંગળ (નવકાર) સામાયિક લીધું હોય અથવા ન લીધું હોય તો પણ ભણાય છે, પરંતુ સામાયિકાદિક શ્રુત તો આરંભ અને પરિગ્રહના ત્યાગપૂર્વક યાવજ્જીવ સામાયિક ઉચરેલું હોય તેનાથી જ (સાધુથી જ) ભણી શકાય છે, પણ આરંભ અને પરિગ્રહધારી તથા જેણે સામાયિક લીધું નથી એવા શ્રાવકને ભણવા યોગ્ય નથી.
ન
ન
પાંચ મહા મંગળને આલાવે આલાવે (દરેક આલાવે) આયંબિલ કરવું, તથા શક્રસ્તવાદિકને વિષે આયંબિલ કરવું તેમજ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના ઉદેશના અધ્યયનને વિષે પણ એ જ પ્રમાણે આયંબિલ કરવું, ગૌતમસ્વામીજી પૂછે છે. “હે ભગવાન ! પંચમંગલ મહાશ્રુતસ્કંધનું આ વિનયોપધાન આપે અત્યંત દુષ્કર કહ્યું. તેથી આ મોટી નિયંત્રણા બાળ જીવોથી શી રીતે બને?” ભગવાન જવાબ આપે છે કે “હૈ ગૌતમ ! જે કોઈ માણસ આ નિયંત્રણાને ન ઇચ્છે એટલે ન કરે અને વિનયોપધાન કર્યા વિના જ પંચમંગલાદિક શ્રુતજ્ઞાન ભણે, અથવા ભણાવે, અથવા તેની અનુમોદના કરે, તેઓ પરસ્પર એકબીજાને પાપમાં નાંખે છે; તેમને ધર્મની પ્રીતિવાળા કહેવા નહી, તેઓ ગુરુની આશાતના કરનારા જાણવા, તથા અતીત, અનાગત અને વર્તમાન તીર્થંકરોની અને શ્રુતજ્ઞાનની આશાતના કરનારા જાણવા તથા તે અનંત સંસારસાગરમાં ભ્રમણ કરે છે. કેમકે આ વિનયોપધાનની ચિરાકાળની નિયંત્રણા છે. વળી હે ગૌતમ ! જે કોઈ વિધિ પ્રમાણે કરે, જરા પણ અતિચાર લગાડે નહીં, અને યોક્ત વિધાન પ્રમાણે જ પંચમંગલાદિક શ્રુતજ્ઞાનનું વિનયોપધાન કરે તે સૂત્રની હીલના કરનારો નથી, તથા વારંવાર ભવમાં ભ્રમણ કરવારૂપ ગર્ભવાસાદિક અનેક પ્રકારનાં દુઃખોને પામતો નથી. અહીં વિશેષ એટલું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org