________________
ચોથો ઉપધાનાચાર
૨૫૯ ઉપર પ્રમાણે ઉપધાન વહન કર્યા પછી ઉત્તમ એવું તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રનું બળ હોય ત્યારે શક્તિ અનુસાર જગદ્ગુરુ શ્રીજિનેશ્વરની પૂજા કરીને તથા મુનિ વર્ગને પ્રતિલાભીને ગુરુ સહિત સાધુ, સાધ્વી, સાધર્મિક અને બંધ વર્ગને સાથે લઈને વાજતે ગાજતે પ્રથમ ગામના ચૈત્યોને વંદના કરવી. ત્યાર પછી ગુણવાન સાધુઓનું તથા સાધર્મિકજનોનું પોતાની શક્તિ પ્રમાણે પ્રણામ વિગેરે કરવાથી તથા સૂક્ષ્મ, બહુ મૂલ્યવાળાં કોમળ અને ઉજ્વળ વસ્ત્ર વિગેરેથી મહા સન્માન કરવું. પછી ગુરુએ ધર્મદેશના આપવી. પછી અત્યંત શ્રદ્ધા અને સંવેગવાન તે શ્રાવકને થાવજીવનો અભિગ્રહ આપવો કે “તારે આજથી આરંભીને જીવન પર્યત ત્રણે કાળ દરરોજ ચૈત્યવંદના કરવી (દર્શન પૂજા કરવી) વિગેરે.” પછી મંત્રેલી ગંધ મુષ્ટિઓ સાતવાર તેના મસ્તક પર “નિચ્છાગો ભવિશ્વાસી’ ‘તુ નિતારક થા' (સંસારસમુદ્રનો પાર પામ) એમ બોલતાં ગુરુએ નાંખવી. પછી ચતુર્વિધ સંઘે પણ તેના મસ્તક પર ગંધ મુષ્ટિઓ નાંખવી. ત્યારપછી ગુરુએ જગદ્ગુરુ શ્રીજિનેશ્વરની કરેલી પૂજાના એક ભાગમાંથી સુગંધવાળી, નહીં કરમાયેલી અને ઉજ્જવળ (શ્વેત) એવી પુષ્પની માળા ગ્રહણ કરીને પોતાના હાથવતી તેના બન્ને ખભા પર આવી જાય તેમ નાંખવી, અને નાંખતા નાખતાં ગુરુએ તેના ઉપબૃહણાદિક બોલવા. ગૌતમસ્વામીજી પૂછે છે “હે ભગવાન! તે ઉપબૃહણા શું ?” ભગવાન કહે છે- “હે ગૌતમ ! પાંચ મંગળની જેમ સામાયિક વિગેરે સમગ્ર શ્રુતજ્ઞાન તેને ભણાવવું, અને તે વિનય ઉપધાન વડે ભણાવવું. વિશેષ એટલે કે ભણવા ઈચ્છનાર શ્રાવકોએ આઠ પ્રકારનો કાળાદિક જ્ઞાનાચાર પ્રયત્નપૂર્વક પાળવો. ન પાળે તો મોટી આશાતના લાગે. વળી દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ભણવા ભણાવવાનો કાળ ૧. હાલમાં રેશમની ગૂંથેલી માળા પહેરાવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org