________________
૨૫૮
જ્ઞાનપદ ભજીએ રે
શ્રેષ્ઠ એવા પ્રવચન દેવતાએ અધિષ્ઠિત પંચમંગલ રૂપ મહાશ્રુતસ્કંધનું પહેલું અધ્યયન કે જે ત્રણ પદે કરીને વ્યાપ્ત, એક આલાવાવાળું, સાત અક્ષરથી બનેલું, અનંત ગમ, પર્યાય અને અર્થને સાધનારું તથા સર્વે મહામંત્રો અને પ્રવર (ઉત્તમ) વિદ્યાઓનાં પરમ બીજરૂપ છે, તે (નમો અરિહંતાણં રૂપ) પહેલું અધ્યયન ભણવું. તે દિવસે આચામ્લે (આયંબિલ) કરીને પારણું કરવું. તે જ પ્રમાણે બીજે દિવસે બે પદે કરીને વ્યાપ્ત, એક આલાવાવાળું અને પાંચ અક્ષરવાળું ‘નમો સિદ્ધાણં’ રૂપ બીજું અધ્યયન આચામ્લ કરીને ભણવું. એ જ પ્રમાણે પાંચ દિવસે કરીને પાંચ અધ્યયન આચામ્ય કરીને ભણવા. પછી ત્રણ આલાવાવાળી અને તેત્રીશ અક્ષરવાળી એસો પંચ નમુક્કારો ઇત્યાદિ’' ચુલાને છકે, સાતમે દિવસે દરરોજ આચામ્લ કરીને ભણવી. પછી અક્રમભક્ત (ત્રણ ઉપવાસ) કરીને અનુજ્ઞા લઈને આખો મંત્ર અવધારવો.
ત્યારપછી ઇર્યાપથિક સૂત્ર (ઇરિયાવાહી) ભણવું. ગૌતમ ગણધર પૂછે છે- “હે ભગવાન ! તે ઇર્યાપથિક સૂત્ર કઈ વિધિએ ભણવું?” ભગવાન જવાબ આપે છે- “હે ગૌતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની જ જેમ તેટલા જ તપ વડે ઇર્યાપથિક સૂત્ર ભણવું. ૨ શક્રસ્તવ (નમુક્ષુર્ણા) એક અક્રમ અને બત્રીશ આયંબિલ વડે ભણવું. ૩ અર્હસ્તવ (ચૈત્યસ્તવ - અરિહંતચેઈઆણં) એક ઉપવાસ અને ત્રણ આયંબિલ વડે ભણવું. ૪ ચતુર્વિશતિ સ્તવ (લોગસ્સ) એક છઠ્ઠ, એક ઉપવાસ અને પચીશ આયંબિલ વડે ભણવું. ૫ તથા જ્ઞાનસ્તવ (શ્રુતસ્તવ ને સિદ્ધસ્તવ) એક ઉપવાસ અને પાંચ આયંબિલ વડે ભણવું. ૬” ઇત્યાદિ*
* આમાં પહેલું, બીજ, ચોથું ને છઠ્ઠું ઉપધાન એક સાથે વહન કરવામાં આવે છે, અને ત્રીજું ને પાંચમું ઉપધાન ત્યારપછી જુદું જુદું પણ વહન કરી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org