SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો ઉપધાનાચાર ૨૫૭ તે પંચ પરમેષ્ઠિ નમસ્કાર વિગેરે સૂત્રના આરાધના માટે શ્રી મહાનિશીથ સૂત્રમાં કહેલાં છ ઉપધાન પ્રસિદ્ધ છે તે જાણવા. જેમ સાધુઓને યોગનું વહુ કર્યા વિના સિદ્ધાંતનું વાંચવું ભણવું શુદ્ધ થતું નથી, તેમ ઉપધાન તપ કર્યા વિના શ્રાવકોને પણ નમસ્કાર (નવકાર) આદિ સૂત્રનું ભણવું ગણવું શુદ્ધ થતું નથી. મહાનિશીથ સૂત્રમાં અકાલ, અવિનય, અબહુમાન, અનુપધાન વિગેરે આઠ પ્રકારના જ્ઞાનકુશીલમાં અનુપધાન નામના કુશીલને ઘણા દોષવાળો કહ્યો છે. તેમાં આ પ્રમાણેના અર્થવાળો આલાવો છે - “હે ગૌતમ! આ આઠ પ્રકારના જ્ઞાનકુશીલમાં જે કોઈ માણસ અનુપધાને કરીને (ઉપધાન કર્યા વિના) પ્રશસ્ત જ્ઞાનનો અભ્યાસ કરે અથવા કરાવે અથવા અભ્યાસ કરતા કરાવવાની અનુમોદના કરે, તેમને મહાપાપ કર્મવાળા જાણવા. કેમકે તેઓ પ્રશસ્ત જ્ઞાનની મોટી આશાતના કરે છે, એમ જાણવું.”ગૌતમ ગણધર પૂછે છે- “હે ભગવાન્ ! જો એમ છે તો પંચમંગલ (નવકારોનું ઉપધાન શી રીતે કરાવવું?” ભગવાન જવાબ આપે છે “હે ગૌતમ! પ્રથમ જ્ઞાન અને પછી દયા. અને દયા વડે સર્વે જગતના જીવોના પ્રાણરૂપ સત્ત્વોને પોતાના સમાન જોવા, તે દયા વિગેરે સર્વે જ્ઞાનથી જ પ્રવર્તે છે. હે ગૌતમ! જે વિધિ વડે પંચમંગળનું ઉપધાન કરાવવું યોગ્ય છે તે આ પ્રમાણે સારા એવા તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ અને લગ્ન હોય તથા ચંદ્રનું બળ હોય ત્યારે જાત્યાદિક આઠે મદનો ત્યાગ કરીને, તથા અત્યંત તીવ્ર શ્રદ્ધા અને સંવેગ ઉત્પન થવાથી ઉલ્લાસ પામતા મહા શુભ અવ્યવસાયને અનુસારે ભક્તિ અને બહુમાનપૂર્વક તથા નિદાન (નિયાણા) રહિત, દ્વાદશ ભક્ત (પાંચ ઉપવાસ) કરીને, ચૈત્યાલયમાં જંતુરહિત પ્રદેશને વિષે જઈને નવા નવા સંવેગ વડે ઉછળતા અને અત્યંત ગાઢ, અચિંત્ય તથા પરમ શુભ પરિણામ ઉત્પન્ન થવાથી ઉલ્લાસ પામતા દેઢ અંતઃકરણવાળા શ્રાવ કે પાંચ અધ્યયન અને એક ચૂલાએ કરીને સહિત તથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy