________________
૨૫૬
જ્ઞાનપદ ભજીએ રે અનુરાગી છે તેની તને કાલે સવારે ખાત્રી થશે.” તે સાંભળીને બ્રાહ્મણ તેની અવગણના કરીને ઘેર ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે શિવે પોતાનું એક નેત્ર કાઢી નાંખ્યું. થોડીવારે બ્રાહ્મણ પૂજા કરવા આવ્યો, તે તે પ્રમાણે જોઈને કાંઈક ખેદ કરીને ઊભો રહ્યો. એટલામાં પેલો ભિલ્લ આવ્યો. તેણે પણ શિવનું એક નેત્ર જોયું નહી. તેથી તે ઘણો જ ખેદ કરવા લાગ્યો. અને તરત જ ભાલા વડે પોતાનું નેત્ર કાઢીને તે શિવને અર્પણ કર્યું. તે વખતે શિવે પ્રસન્ન થઈને તેને તેનું નેત્ર પાછું આપ્યું, અને રાજ્ય આપ્યું.
આ પરથી એમ સમજવાનું છે કે હૃદયના બહુમાનથી જ ગુરુ તથા દેવો તુષ્ટમાન થાય છે. જિનસ્તુતિમાં પણ કહ્યું છે કે- “હે પ્રભુ! તમે આ આંખો વડે દેખાતા નથી, તથા મહાપૂજા વડે પણ આરાધન કરાતા નથી, પરંતુ ઘણા ભક્તિરાગે કરીને તથા આજ્ઞાનું પાલન કરવા વડે કરીને જ પ્રસન્ન થાઓ છો.’’
તે ભિલ્લનું બહુમાન જોઈને બ્રાહ્મણ ચિત્તમાં ચમત્કાર પામ્યો. આ પ્રમાણે બહુમાન અને અબહુમાનનું ફળ જાણીને વિવેકી પુરુષે ગુર્વાદિકનું સારી રીતે બહુમાન કરવામાં યત્ન કરવો.
॥ ઇતિ તૃતીયો બહુમાન આચારઃ ॥ ચોથો ઉપધાનાચાર
શ્રુતજ્ઞાનના અર્થીએ વિધિ પ્રમાણે ઉપધાન વહન કરવા જોઈએ. તેમાં “ઉપ” એટલે સમીપે, ‘અધીયતે’ એટલે સૂત્રાદિક ભણાય.” શબ્દાર્થ વડે ઉપધાન એટલે શ્રુતના આરાધન માટે અમુક પ્રકારની શાસ્ત્રવિહિત તપસ્યા વિશેષ. તેમાં સાધુઓને આવશ્યક વિગેરે શ્રુતના આરાધન માટે આગાઢ અને અનાગઢ યોગરૂપ સિદ્ધાન્તને અનુસારે પોતપોતાની સામાચારી પ્રમાણે ક્રિયા જાણવી. અને શ્રાવકોને માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org