________________
બહુમાન ઉપર બે નિમિત્તિયાની કથા
૨૫૫ સાંભળીને તેની અત્યંત તીક્ષ્ણ બુદ્ધિથી હર્ષ પામેલા ગુરુએ બીજા શિષ્યને કહ્યું કે- “હે વત્સ ! તું મારે વિષે વિવિધ પ્રકારનો વિનય કરતાં છતાં પણ તારું તેવા પ્રકારનું મારા વિષે બહુમાન નથી, અને આ તો મારા પ્રત્યે અત્યંત બહુમાન ધરાવે છે, તેમજ તેની વિનયવાળી બુદ્ધિ છે, માટે સારી રીતના બહુમાન-યુક્ત હોય, તો જ વિદ્યા ફલદાયક થાય છે. તેથી આ બાબતમાં મારો કાંઈ પણ દોષ નથી.” આ પ્રમાણે ઘણો વિનય છતાં પણ બહુમાનવાળાને ફળની સિદ્ધિ થઈ અને બહુમાન રહિતને ફળની અસિદ્ધિ થઈ એમ સમજવું.
હવે વિનય થોડો છતાં પણ બહુમાને કરીને ફળની પ્રાપ્તિ થાય છે, તે પર દૃષ્ટાંત કહે છે. કોઈ એક પર્વતમાંથી પાણીનાં ઝરણાં વહેતાં હતાં. તે ઠેકાણે એક શિવની મૂર્તિ પ્રત્યક્ષ પ્રભાવવાળી હતી. તેની કોઈ એક બ્રાહ્મણ હંમેશાં શુદ્ધ થઈને ચંદન પુષ્પાદિક વડે બહુ ભક્તિપૂર્વક પૂજા કરતો હતો. અને એક ભિલ્લ એક હાથમાં ધનુષ અને બાણ રાખીને, એક હાથમાં બિલિપત્ર લઈને તથા મુખમાં પાણી ભરીને તેની પૂજા કરવા આવતો. તે પ્રથમં કરેલી બ્રાહ્મણની પૂજાને પગ વડે કાઢી નાંખીને કોઈ પ્રકારની બીજી પૂજાની સામગ્રી વિના માત્ર મુખમાં ભરેલા પાણીના કોગળા વડે તે મૂર્તિને નવરાવી તેના પર બિલિપત્ર ચડાવતો, પરંતુ તે અંતઃકરણના બહુમાનથી પૂજા કરતો હતો. મૂર્ણપણાને લીધે યોગ્ય પ્રકારનો વિનય કરવાનું તેને જ્ઞાન નહોતું. તો પણ કેવળ બહુમાનથી જ પ્રસન્ન થયેલા શિવ તેની સાથે હંમેશા કુશળ પ્રક્ષાદિક વાર્તા કરતા હતા. એક દિવસ તે વૃત્તાંત પેલા બ્રાહ્મણના જાણવામાં આવ્યો, ત્યારે તેણે ક્રોધથી શિવને ઉપાલંભ દીધો કે- “હે શિવ! તું પણ તે ભિલ્લ જેવો જ જણાય છે.” ત્યારે શિવે તેને કહ્યું કે, “એ ભિલ્લ મારા પર અત્યંત
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org