________________
૨૫૪
જ્ઞાનપદ ભજીએ રે
ચંદનવૃક્ષથી પણ દુર્ગંધ નીકળે, અમૃત થકી પણ વિષનો આવેશ પ્રાપ્ત થાય, સજ્જન થકી પણ દુર્જનતાનું અધિકપણું જણાય, સારા વૈદ્યથી પણ ઊલટી વ્યાધિની ઉત્પત્તિ થાય અને જળ થકી પણ જો અગ્નિ નીપજે તો તેમાં કોને દોષ દેવો?” તે સાંભળીને ગુરુ બોલ્યા કે -“હે શિષ્ય ! તું શા માટે આમ બોલે છે? મેં તને અને આને વિદ્યા આપવામાં અને શાસ્ત્ર શીખવવામાં કોઈ વખત ભેદ રાખ્યો નથી.” પેલો શિષ્ય બોલ્યો કે -“ત્યારે આણે માર્ગમાં હાથણી વિગેરેનું વૃત્તાંત શી રીતે જાણ્યું? અને મેં કેમ ન જાણ્યું ?” ગુરુએ સાચું જાણી શકેલા શિષ્યને પૂછ્યું કે-“હે સારી બુદ્ધિવાળા ! તેં તે સર્વ વૃત્તાંત શી રીતે જાણ્યું ?” ત્યારે તે બોલ્યો-“ હે ગુરુજી ! આપના પ્રસાદથી તથા તે તે પ્રકારની નિશાનીઓ જોવાથી મે જાણ્યું. તે આવી રીતે કે - માર્ગમાં હાથણી મૂતરેલી હતી, તેના રેલા હાથી કરતાં જુદા આકારના હોય છે તેથી મેં હાથણી જાય છે એમ જાણ્યું. માર્ગમાં માત્ર દક્ષિણ (જમણી) બાજુએ જ કોઈ કોઈ ઠેકાણે સૂંઢ વડે ઘાસ લઈ લઈને તેણીએ ભક્ષણ કર્યું હતું, તેથી ડાબી આંખે કાણી છે, એમ જાણ્યું. માર્ગમાં ઉપર બેઠેલાં સ્ત્રીપુરુષે નીચે ઊતરીને કાયિકી (લઘુશંકા) કરી હતી, તે પરથી તેના પર સ્ત્રીપુરુષ બેઠાં છે, એમ જાણ્યું. જે સ્ત્રી હતી તેણે કાયિકી કરીને ઊઠતાં બન્ને હાથે પૃથ્વી પર થોભો (ટેકો) દીધો હતો, તેથી તે તરત પ્રસવવાવાળી છે એમ જાણ્યું. કાંટાવાળા નાના ઝાડ ઉપર વસ્ત્રનો છેડો ભરાયો હશે, તેના રાતા તાંતણા ત્યાં વળગેલા હતા, તે પરથી તે સ્ત્રીએ રાતું વસ્ત્ર પહેર્યું છે એમ જાણ્યું. વૃદ્ધા સ્ત્રીનો પુત્ર ઘેર આવ્યો, એ વાત મેં એ પરથી જાણી કે- જેમ ઘડો પડીને ફૂટી ગયો, તે પૃથ્વી (માટી) માંથી ઉત્પન્ન થયો અને પૃથ્વીની સાથે મળી ગયો, તેમ આનો પુત્ર પણ આ વૃદ્ધાથી ઉત્પન્ન થયેલો છે, તે તેણીને મળવો જોઈએ, એમ ધારીને મેં ઘેર આવ્યાનું કહ્યું.” તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org