________________
૨૬૨
જ્ઞાનપદ ભજીએ રે
આ ક્રિયા કરતાં જો કદાચ વચ્ચે જ તે મૃત્યુ પામે, તો નમસ્કાર રહિત તે શી રીતે મુક્તિમાર્ગ સાધી શકે?’’ ભગવાન કહે છે કે- “હે ગૌતમ ! જે સમયથી તેણે સૂત્રના આરાધન નિમિત્તે અશઠ ભાવથી પોતાની શક્તિ પ્રમાણે યત્કિંચિત (થોડો) પણ આરંભ કર્યો છે, તે જ સમયથી તેને સૂત્ર તથા અર્થને ભણેલો જાણવો, કેમકે તે (શ્રાવક) પંચનમસ્કાર સૂત્રને, અર્થને તથા તે બન્નેને અવિધિએ ગ્રહણ કરે નહીં. પરંતુ તેવી રીતે જ ગ્રહણ કરે કે જેથી ભવાંતરમાં પણ તે નાશ પામે નહીં. એવા શુભ અધ્યવસાયપણાને લીધે તે આરાધક જ થાય.' ફરીથી ગૌતમસ્વામીજી ભગવાનને પૂછે છે કે- “હે ભગવાન ! બીજાને ભણતા સાંભળીને જ જેઓને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમને લીધે પંચમંગલ (નવકાર) કંઠે થઈ જાય છે, તેમને પણ શું તપ ઉપધાન કરાવવું?’ ભગવાન કહે છે“હા, તેને પણ કરાવવું?” ગૌતમસ્વામીજી પૂછે છે- “હે ભગવાન્ ! તેને શા માટે ઉપધાન કરાવવું? ” ભગવાન કહે છે- “હે ગૌતમ! સુલભબોધિપણાની પ્રાપ્તિને નિમિત્તે તેને પણ ઉપધાન કરાવવું. એ પ્રમાણે નહીં કરનારને જ્ઞાનકુશીલિયા જાણવા.”
અહીં કોઈ શંકા કરે કે - શ્રી આવશ્યક સૂત્રમાં નમસ્કારને સામાયિકના અંગ તરીકે કહ્યું છે, અને મહાનિશીથમાં મહાશ્રુતસ્કંધ તરીકે કહ્યું છે. તે બન્ને શી રીતે ઘટે? એનો જવાબ એ છે કે - જેમ આવશ્યક સૂત્રના પહેલા અધ્યયનની નિયુક્તિમાં જાદું બતાવેલું સામાયિક પહેલું અધ્યયન કહેવાય છે, અને તે જ (સામાયિક) પ્રતિક્રમણ નામના ચોથા અધ્યયનમાં તેના એક દેશ (એક ભાગ) પણ દેખાય છે. એ જ પ્રમાણે નમસ્કાર પણ જ્યારે સામાયિકના આરંભમાં બોલાય ત્યારે તેનો જીદું શ્રુતસ્કંધ જાણવું, વળી મહાનિશીથ સૂત્ર બીજા શ્રુત કરતાં વધારે વિશિષ્ટ છે એમ જણાય છે. કેમકે તેના અગાઢ યોગ છે, અને તેમાં પિસ્તાલીશ આયંબિલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org