________________
૨૪૯
વિનય ઉપર દૃષ્ટાંત
એટલે તેણે તેણીને છોડી દીધી. અને પાછી આવશે ત્યારે ખાઈ જઈશ” એમ ધારીને ત્યાં જ બેઠો. પછી તે સ્ત્રી માળી પાસે ગઈ. માળીએ આશ્ચર્ય પામીને તેણીને માતાની જેમ નમસ્કાર કરી મુક્ત કરી. પછી વળતાં રાક્ષસે અને ચોરોએ પણ તેણીને છોડી દીધી. ઘેર આવી પતિની પાસે સર્વ હકીકત સત્ય રીતે કહી બતાવી, તેથી પતિની વિશેષ માનીતી થઈ.
આ પ્રમાણે કથા કહીને અભયકુમારે સર્વ માણસોને પૂછ્યું કે“હે લોકો ! આ ચારમાંના કોણે દુષ્કર કાર્ય કર્યું કહેવાય?’” ત્યારે કેટલાક ઇર્ષ્યાળુ પુરુષોએ પતિને દુષ્કરકારી કહ્યો, કેટલાક ક્ષુધાતુરોએ રાક્ષસને દુષ્કરકારી કહ્યો, જાર પુરુષોએ માળીને દુષ્કરકારી કહ્યો. અને પેલા આમ્રફળ ચોરનારા માતંગે ચોરને દુષ્કરકારી કહ્યો. તરત જ અભયકુમારે તેને પકડ્યો અને પૂછ્યું, એટલે તેણે સત્ય વાત કહી દીધી. પછી અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ ક્રોધથી તેનો વધ કરવાનો હુમક કર્યો, ત્યારે અભયકુમારે કહ્યું કે “ હે સ્વામી ! આની પાસે બે અપૂર્વ વિદ્યાઓ છે તે તો તમે ગ્રહણ કરો, પછી જેમ યોગ્ય લાગે તેમ કરજો. કહ્યું છે કે–
बालादपि हितं ग्राह्यममेध्यादपि काञ्चनम् । नीचादयुत्तमां विद्यां स्त्रीरत्नं दुष्कुलदपि ॥ १ ॥
અર્થ - બાળક પાસેથી પણ હિત વચન ગ્રહણ કરવું, અપવિત્ર વસ્તુમાંથી પણ સુવર્ણને ગ્રહણ કરવું, નીચ માણસ પાસેથી પણ વિદ્યા શીખી લેવી, અને નીચ કુળમાંથી પણ સ્ત્રીરત્ન લેવું.”
તે સાંભળીને રાજા સિંહાસન પર બેઠા બેઠા માતંગને પોતાની ... સન્મુખ નીચે બેસાડીને તેની પાસેથી ઉન્નામિની અને અવનામિની નામની વિદ્યા શીખવા લાગ્યા. પરંતુ ઘણીવાર ગોખવા છતાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org