________________
૨૫૦
જ્ઞાનપદ ભજીએ રે હૃદયમાં જરા પણ તે વિદ્યા આરૂઢ થઈ નહીં, ત્યારે શ્રેણિક રાજા તેના પર ક્રોધાયમાન થયા અને “અરે! મારી સાથે પણ તું કપટ રાખે છે” એમ કહીને તેનો તિરસ્કાર કરવા લાગ્યા. તે વખતે અભયકુમારે રાજાને કહ્યું કે- “હે દેવ ! વિનય વિના વિદ્યા ફળીભૂત થતી નથી, માટે એને સિંહાસન પર બેસાડીને આપ હાથ જોડીને નીચે પૃથ્વી પર બેસો.” તે સાંભળીને રાજાએ પણ “પ્રથમ પોતાના આત્માને વિનયમાં જોડવો જોઈએ, અને પછી વિદ્યા શીખાય છે. કારણ કે જલથી લતાની જેમ વિનયથી જ વિદ્યા વૃદ્ધિ પામે છે.” આ પ્રમાણે નીતિશાસ્ત્રનું વચન સંભારીને પોતે વિદ્યાના અથ હોવાથી તે પ્રમાણે કર્યું. એટલે તરત જ તે બન્ને વિદ્યાઓ હદયમાં જાણે કોતરાઈ ગઈ હોય તેમ સ્થિર થઈ. પછી વિદ્યાગુરુ થવાથી તે ચોરને રાજાએ મુક્ત કર્યો, અને તેનો સત્કાર કર્યો. માટે વિનયપૂર્વક શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો.
|| ઇતિ દ્વિતીયો વિનયાચારઃ II.
ત્રીજો બહુમાનઆચાર શ્રુતજ્ઞાનના અર્થીએ ગુરુને વિષે બહુમાન ધરાવવું. બહુમાન એટલે અંતઃકરણની પ્રીતિ, બહુમાન હોય તો જ ગુરુ વિગેરેની એકાંતપણે છંદોનુવૃત્તિ તેમની ઈચ્છાનુસાર વર્તણુક, તેમના ગુણનું ગ્રહણ, દોષનું આચ્છાદાન અને તેમના અભ્યદયનું ચિંતવન વિગેરે થઈ શકે છે. ગુર્નાદિકને થોડું પણ દુઃખ હોય, તો પોતાના મનમાં અત્યંત દુઃખ થાય છે, અને તેના અભુદયમાં પોતે અત્યંત હર્ષ પામે છે. પહેલાં જે વિનયનું સ્વરૂપ કહ્યું તે (વિનય) તો બાહ્ય ઉપચારથી ભક્તિરૂપે દૃશ્યમાન થાય છે. તેવો વિનય છતાં પણ બહુમાન તો હોય અથવા ન પણ હોય. બહુમાન વિના ઘણા વિનયથી પણ શું? કારણ કે જીવ વિના એકલા દેહથી શું? દ્રવ્ય વિના એકલા ઘરથી
I
|| Ut
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org