________________
૨૪૮
જ્ઞાનપદ ભજીએ રે આવશે. તે સાંભળીને અભયકુમારે રાજાની આજ્ઞા સ્વીકારી ચોરની શોધ કરવા માંડી. છેલ્લે દિવસે કોઈ ઠેકાણે પૌરલોકોનો મોટો સમુદાય એકઠો થયો હતો, ત્યાં અભયકુમારે પોતાની બુદ્ધિથી “બૃહતકુમારીની કથા કહીને તે ચોરને પ્રગટ કર્યો. તે કથા આ પ્રમાણેઃ
બૃહકુમારીની કથા '' વસંતપુરમાં નિર્ધન જીર્ણ શેઠને બૃહત્ કુમારી નામની અત્યંત સ્વરૂપવાળી પુત્રી હતી. તે કુમારી હંમેશા કામદેવની પૂજા કરવા માટે ઉદ્યાનમાંથી પુષ્પોની ચોરી કરતી હતી. તેણીને એક દિવસે માળીએ પુષ્પ ચોરતાં જોઈ પકડી. અને તેણીના સ્વરૂપથી મોહ પામેલા તે ઉદ્યાનપાળે ભોગ માટે તેણીની પ્રાર્થના કરી, ત્યારે તે બોલી કે- “હું કુમારી છું, તેથી સ્પર્શ કરવા લાયક નથી.” કહ્યું છે કે- “રજસ્વલા, સમાન ગોત્રવાળી, પોતાની જાતથી ઊંચી જાતવાળી, પ્રવ્રયા (દીક્ષા) દીધેલી, તથા મિત્ર, રાજા અને ગુરુની
સ્ત્રી–એ આઠ સ્ત્રીઓ ગમન (સ્પર્શ) કરવા લાયક નથી.” ત્યારે ઉદ્યાનપાન બોલ્યો કે તું જે વખતે પરણે તે જ દિવસે પ્રથમ મારી પાસે તારે આવવું.” કુમારીએ તે વાત સ્વીકારી અને પોતાને ઘેર ગઈ. પછી અનુક્રમે કેટલેક કાળે તે કુમારી પરણી. રાત્રે તેણીએ પોતાની પ્રતિજ્ઞા પોતાના પતિને કહી, ત્યારે પતિએ તેણીને સત્યવક્તા જાણી માળી પાસે જવાની રજા આપી, એટલે તે સુવર્ણ અને રત્નના અલંકારો ધારણ કરીને ઉદ્યાનપાળ પાસે જવા ચાલી. માર્ગમાં ચોરોએ તેણીને રોકી. તેમની પાસે સત્ય વાત જાહેર કરી અને “પાછી વળતાં તમે લૂંટી લેજો”એમ કહ્યું, ત્યારે તેઓએ તેણીને સત્ય પ્રતિજ્ઞાવાળી જાણી તથા “પાછી આવશે ત્યારે લૂંટીશું” એમ ધારી તેણીને રજા આપી. આગળ જતાં સુધાથી કૃશ થયેલા રાક્ષસે તેણીને રોકી. ત્યાં પણ તે જ રીતે તેણીએ સત્ય વાત કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org