________________
વિનય ઉપર દૃષ્ટાંત
ર૪૭ અર્થ. સ્ત્રીએ પ્રાર્થના કરેલો પુરુષ શું ન કરે? અને શું ન આપે ? સ્ત્રીને વશ થયેલ પુરુષ ગધેડો થઈને હેકારવ કરે છે (હણહણે છે.) અને પર્વ વિના પણ શિરમુંડન કરાવે છે.”
આ શ્લોક સંબંધી કથા ભોજપ્રબંધમાં છે, તેનો સાર એ છે કે ભોજરાજા તથા કાળીદાસ કવિ એ બન્ને એક જ વેશ્યા ઉપર આસક્ત હતા. એક દિવસ ભોજરાજાએ વેશ્યાને કહ્યું કે, જ્યારે કાળીદાસ તારી પાસે આવે, ત્યારે તારે તેને કહેવું કે તમે દાઢી મૂછ મુંડાવીને મારી સાથે વિલાસ કરો.” વેશ્યાએ કાળીદાસને તેમ કરવા કહ્યું, ત્યારે કાળીદાસે તે જ પ્રમાણે કર્યું. પછી બીજે દિવસ રાજસભામાં કાળીદાસ આવ્યો ત્યારે, ભોજરાજાએ કહ્યું કે –
"कालिदास कविश्रेष्ठ ! कस्मिन् पर्वणि मुंडनम् । (હે ઉત્તમ કવિ કાળીદાસ! કયા પર્વમાં તમે આ મુંડન કરાવ્યું છે?)”
તે સાંભળીને કાળીદાસે કહ્યું કે"अनश्वा यत्र हेषन्ते तस्मिन् पर्वणि मुंडनम् ॥१॥
જે પર્વમાં ગધેડા હેકારવ કરે છે, તે પર્વમાં મેં મુંડન કરાવ્યું છે.” ઈત્યાદિ. * પ્રાતઃકાળે ચેલણા રાણીએ આમ્રવૃક્ષ પરથી ફળ ચુંટાયેલાં જોઈને રાજાને જણાવ્યું. ત્યારે રાજાએ અભયકુમાર મંત્રીને બોલાવીને કહ્યું કે, “જેની આવી શક્તિ છે, તે અંતઃપુરમાં પણ ઉપદ્રવ કરી શકે, માટે સાત દિવસમાં આ આમ્રફળના ચોરને પ્રગટ કરજે (હાજર-કરજે), નહિ તો ચોરના જેવો તારો દંડ કરવામાં
૧. પર્વ એટલે ગ્રહણ વિગેરે યોગ. તે દિવસે તીર્થસ્થાને દાઢી-મૂછ સહિત મુંડન કરાવવાનો વિધિ લૌકિક શાસ્ત્રમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org