SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ જ્ઞાનપદ ભજીએ રે કરીને તથા ગંધ, ધૂપ અને પુષ્પાદિક વડે તેની પૂજા કરીને કારીગરો પોતપોતાને સ્થાનકે ગયા. તેમની ભક્તિથી તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે પ્રસન્ન થઈને રાત્રિએ અભયકુમારને કહ્યું કે “હું સર્વ ઋતુઓના પુષ્પ ફળવાળા વૃક્ષોથી સુશોભિત, નંદનવન જેવા ઉદ્યાન વડે અલંકૃત અને ચોતરફ કિલ્લાવાળો એકત્સંભી પ્રાસાદ કરી આપીશ, માટે મારા ભુવનની ઉપર રહેલા વૃક્ષને તમે છેદાવશો નહીં.” તે સાંભળીને અભયકુમારે તે વાત અંગીકાર કરી, એટલે અચિંત્ય શક્તિવાળા તે વ્યંતર દેવે તેવા પ્રકારનો પ્રાસાદ તરત જ બનાવી આપ્યો. કહ્યું છે કે વચનથી બંધાયેલા દેવો સેવકથી પણ અધિક સેવા કરનારા થાય છે.” શ્રેણિક રાજા જે એકલા પ્રાસાદનો જ અર્થી હતો, તે આવા પ્રકારના ઉદ્યાનથી સુશોભિત પ્રાસાદને જોઈને દૂધ પીવાનો આરંભ કરતાં તેમાં જેમ સાકર પડે તેમ માનવા લાગ્યો. પછી રાજાના આદેશથી ચેલણા રાણી પદ્મ (કમળ) સરોવરમાં મગ્ન થએલી લક્ષ્મીની જેમ તે પ્રાસાદમાં રહીને નિરંતર ક્રિીડા કરવા લાગી. એકદા તે નગરમાં વસનારી એક માતંગી (ચંડાળની સ્ત્રી) ને અકાળે આમ્રફળ (કેરી) ખાવાનો દોહદ થયો, તેથી તેણીએ પોતાના પતિ કે જે વિદ્યાસિદ્ધ હતો તેને ચેલણાના ઉદ્યાનમાંથી આમ્રફળ લાવવા માટે અત્યંત આગ્રહપૂર્વક કહ્યું. તે માતંગ શ્રેણિક રાજાથી અત્યંત ભય પામતો હતો તો પણ સ્ત્રીના આગ્રહને લીધે ‘અવકામિની'નામની વિદ્યા વડે આમ્રવૃક્ષની શાખા નીચે નમાવી ઈચ્છા પ્રમાણે આમ્રફળો લઈને પછી “ઉનામિની' વિદ્યા વડે શાખાને ઊચે હતી તેવી કરી ચોરની જેમ નાશીને ઘેર જતો રહ્યો. કહ્યું છે કે – न किं कुर्यान्न किं दद्यास्त्रीभिरभ्यर्थितो नरः । अनश्वा यत्र हेषन्ते, शिरोऽपर्वणि मुंडितम् ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy