SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ બીજો વિનયાચાર કરવામાં પ્રવર્તવું. કહ્યું છે કે-“ અગ્નિને સ્પર્શ કરેલા ગુરુરૂપી કૂવામાંથી જ્ઞાનરૂપી અમૃતજળ લેવા માટે માત્ર એક વિનય જ પગના આવર્તની ધૃષ્ટતાને ધારણ કરે છે.” તથા - “વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, (સમકિત) દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે, મોક્ષમાં નિરાબાધ સુખ છે.” વળી વિનયથી ગ્રહણ કરેલું કૃત તત્કાળ ફળદાયક થાય છે, તે સિવાયનું ફળદાયક થતું નથી. તે ઉપર દૃષ્ટાંત નીચે પ્રમાણે : વિનય ઉપર દૃષ્ટાંત રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાએ એકદા શ્રી મહાવીર સ્વામીના મુખથી ચેલણા રાણીના સતીપણાનો નિર્ણય સાંભળીને તેણીના ગુણથી રંજિત થઈ તેને કહ્યું કે “ હે પ્રિયા ! બીજી રાણીઓના કરતાં કેવો અધિક મનોહર પ્રાસાદ હું તારે માટે કરાવું?” ત્યારે ચેલણાએ કહ્યું કે - “મારે માટે એક સ્તંભવાળો પ્રાસાદ કરાવી આપો.” રાજાએ તેવો પ્રાસાદ કરાવવા માટે અભયકુમારને આજ્ઞા કરી. અભયકુમારે કારીગરોને આજ્ઞા કરી. કારીગરો તેવા પ્રાસાદને યોગ્ય મોટા કાષ્ટને માટે અટવીમાં પરિભ્રમણ કરવા લાગ્યા. તેમણે સારા લક્ષણવાળું, ઘણી છાયાવાળું, આકાશ સુધી ઊંચું, પુષ્પફળથી ફળેલું, મોટી મોટી શાખાવાળું અને મોટા સ્કંધ (થડ) વાળું એક વૃક્ષ દીઠું. તે જોઈને હર્ષ પામેલા કારીગરો વિચાર કરવા લાગ્યા કે, “ખરેખર આ વૃક્ષ દેવતાધિષ્ઠિત હોવું જોઈએ. કહ્યું છે કે - “જેવું તેવું સ્થાન પણ દેવરહિત હોતું નથી, તો પછી શુભ લક્ષણવાળાં મોટાં વૃક્ષ તે દેવતાના વાસરહિત શેનાં જ હોય?” પરંતુ “આવા દેવતાધિષ્ઠિત વૃક્ષનો છેદ કરવાથી આપણા સ્વામીને (રાજાને) કાંઈ વિન ન થાઓ.” એમ વિચારીને તે દિવસે તે વૃક્ષના અધિષ્ઠાયક દેવની આરાધના માટે ઉપવાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy