________________
૨૪૪
જ્ઞાનપદ ભજીએ રે સત્કાર પામતાં દેખાય છે. વળી વિદ્યા, વિવેક, ઔદાર્ય, ગાંભીર્ય, ચાતુર્ય, ધૈર્ય, પ્રખ્યાતિ, પ્રતિષ્ઠા વિગેરે ગુણોનું મૂળ કારણ વિનય જ છે. કેમકે વિનય હોવાથી જ તે તે ગુણોનો સંભવ છે, અન્યથા નથી. કહ્યું છે કે - સર્વ સુખનું મૂળ કારણ ક્ષમા છે, સર્વ દુઃખોનું મૂળ કારણ ક્રોધ છે, સર્વ ગુણોનું મૂળ કારણ વિનય છે અને સર્વ અનર્થોનું મૂળ કારણ લોભ છે.” વળી ધર્મનું પણ મૂળ વિનય જ છે, કહ્યું છે કે - “ધર્મનું મૂળ વિનય છે, વિનયવંત જ સંયત (મુનિ) થઈ શકે છે, વિનયરહિત માણસને ધર્મ અને તપ બંને ક્યાંથી હોય ? ન જ હોય.” છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં કહ્યું છે કે, એક હજાર પરિવ્રાજકના પરિવારમાં મુખ્ય એવા વ્યાસના પુત્ર શુકદેવ નમના ભટ્ટારકે પોતાનો શૌચમૂળ ધર્મ સૌગંધિકા નગરીના નિવાસી સુદર્શન શેઠને ગ્રહણ કરાવ્યો હતો. તેથી તે શેઠને પ્રતિબોધ કરવા માટે હજાર શિષ્યોના પરિવારવાળા અને ચૌદ પૂર્વને ધારણ કરનારા થાવાપુત્ર નામના શ્રી નેમિનાથના શિષ્ય આચાર્ય મહારાજે તે નગરીમાં આવીને તે શેઠ પ્રત્યે આ પ્રમાણે કહ્યું કે“હે સુદર્શન! વિનયમૂળ ધર્મ કહેલો છે. અને તે વિનય સર્વ ધાતુઓના મધ્યે સુવર્ણની જેમ પ્રાયઃ શુભ પ્રકૃતિવાળાને જ પ્રાપ્ત થાય છે.’” કહ્યું છે કે - ‘કમળોમાં સુગંધ કોણે ઉત્પન્ન કરી છે ? શેરડીમાં મધુરતા (મીઠાશ) કોણે ઉત્પન્ન કરી છે ? ઉત્તમ જાતિના હસ્તિઓને લીલાપૂર્વક ગમન કોણે શીખવ્યું છે ? તથા ઉચ્ચ કુળમાં જન્મેલાને વિનય કોણ શીખવે છે? વળી હરણીઓનાં નેત્રોમાં અંજન કોણ કરે છે? મોરનાં પીંછાં કોણ ચીતરે છે? કમળોને વિષે પત્રની રચના કોણ કરે છે? તેમજ ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા પુરુષોને વિનય કોણ શીખવે છે? અર્થાત્ એ સર્વ સ્વભાવથી જ સિદ્ધ છે.' વળી શ્રુતજ્ઞાનના અર્થી પુરુષે વિશેષે કરીને ગુર્વાદિકનો વિનય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org