SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૩૩ વસ્તુ લેવા આવે તો ઘરમાં તે વસ્તુ હોય છતાં “નથી” એમ કહેતી. કદાચ તે વસ્તુ મુનિની દૃષ્ટિએ પડે તો કહેતી કે- “આ વસ્તુઓ તો પારકી છે.” અથવા કોઈ વાર તે વસ્તુ શુદ્ધ છતાં ‘“અશુદ્ધ છે” એમ પણ કહેતી. આવી અદાન બુદ્ધિ (દાન ન દેવાની બુદ્ધિ) ને ધિક્કાર છે ! આ પ્રમાણે તે શ્રાવિકાએ બીજા ધર્મકાર્ય (પ્રતિક્રમણ, પૌષધ વિગેરે વિના ખર્ચના કાર્ય)માં તત્પર છતાં પણ કૃપણપણાના દોષથી મહાઉગ્ર ભોગાંતરાય કર્મ બાંધ્યું. ‘અહો! નિર્મળ એવા જૈન ધર્મને પામીને પણ કેટલાએક મૂઢ જીવો અયોગ્ય આચરણ વડે આત્માને મલિન કરે છે, તે અત્યંત ખેદકારક છે.’ હવે બીજી શ્રાવિકા જે ધનપ્રભા નામની હતી તે ઉદાર ચિત્તવાળી હતી. તેથી તેણીએ શુદ્ધ ભાવથી સુપાત્ર દાન આપવા વડે શુભ ભોગના ફળવાળું કર્મ બાંધ્યું. કારણ કે જીવના પરિણામ વિચિત્ર પ્રકારના હોય છે. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયે તે બન્ને શ્રાવિકાઓ મરણ પામીને સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થઈ. પરંતુ તેમાંની પહેલી ધનશ્રી કિપ્બિષીયા દેવના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવીને તે બંને દેવો હે રાજા! તારા પ્રેમના પાત્રરૂપ આ બે કન્યાઓ રૂપે ઉત્પન્ન થયેલ છે. તે બન્નેને પોતપોતાના કર્મના વશથી ભોગની પ્રાપ્તિ ને ભોગનો નાશ થયેલ છે.' આ પ્રમાણે બંને કન્યાઓનો પૂર્વભવ સાંભળીને રાજાએ ગુરુને પૂછ્યું કે - “હે સ્વામી ! મારી એક શંકાનું સમાધાન કરો કે કર્મ અને ઉદ્યમ એ બેમાં કયું પ્રધાન છે?” ત્યારે જ્ઞાની ગુરુ બોલ્યા કે- “હે રાજા ! તે બન્નેનું પ્રાધાન્ય છે. કેમકે આ જગતમાં કોઈ ઠેકાણે જીવ બળવાન થાય છે, અને કોઈ ઠેકાણે કર્મ પણ બળવાન થાય છે. કહ્યું છે કે- જીવને તથા કર્મને અનાદિ કાળથી વેર બંધાયેલું છે. તેમાં જીવો ખરેખર કર્મને જ વશ છે, પરંતુ કોઈક વખત કર્મો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy