SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ જ્ઞાનપદ ભજીએ રે પછી ચંદ્રરાજાએ પોતાના જમાઈ પૃથ્વીપાળ રાજાને સત્કાર સાથે શહેરમાં લાવી વિવાહની રીત પ્રમાણે બહુમાનપૂર્વક ગૃહ, દ્રવ્ય વિગેરે ઘણી વસ્તુઓની પહેરામણી કરી. બીજે દિવસે તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ગુરુ મહારાજ સમવસર્યા. તેમને વાંદવા માટે ચંદ્ર રાજા સર્વ પરિવાર સહિત ગયો. ગુરુને વાંદી યથાસ્થાને બેસી દેશના સાંભળી. દેશનાને અંતે અવસર જોઈને રાજાએ પોતાની બન્ને કન્યાનો પૂર્વભવ પૂછ્યો, ત્યારે જ્ઞાની ગુરુમહારાજ બોલ્યા કે- “હે રાજા ! તારી આ બે કન્યા પૂર્વે “ધન” અને “ધનક” નામના બે શ્રેષ્ઠીની “ધનશ્રી” અને “ધનપ્રભા” નામની ચંદ્રની અને સૂર્યની સ્ત્રી જ્યોત્સ્ના અને પ્રભાની જેવી સ્વજનોમાં અત્યંત માનવા લાયક પ્રિયાઓ હતી. તે બન્ને જૈનધર્મમાં આસક્ત હતી, અને પ્રાયઃ કરીને પાપનાં સ્થાનકોથી નિવૃત્તિ પામેલી હતી. તેમજ જ્ઞાનનું આરાધન કરવામાં નિપુણ અને ઉપધાનાદિકનું બહુમાન કરનારી હતી. પરંતુ તેમાં પહેલી જે ધનશ્રી હતી તે કૃપણ હતી, તેથી ધનાદિકનો વ્યય કરવામાં તેણીનું હૃદય દુભાતું હતું. તે એટલી બધી કૃપણ હતી કે મુનિઓને પણ ભાવથી દાન દેતી નહીં. પરંતુ પોતે કૃપણ હોવાથી પોતાને ઘેર જે કોઈ મુનિરાજ આવતા, તેમને ઘરના બીજા માણસો બહુ આપી દે છે, માટે હું મારે હાથે જ આપું.” એમ વિચારી ઊઠીને ઘણી ભક્તિ તથા આદર દેખાડતી, ઘરમાં સારી વસ્તુ ઘણી છતાં પણ થોડી દેખાડતી, અને “જેમ મુનિઓને જરા પણ દોષ ન લાગે તેમ થોડું પણ શુદ્ધ એવું સુપાત્ર દાન આપવાથી તે અનંત ફળનું કારણ થાય છે.” એમ બોલતી છતી પાસે રહેલા બીજા માણસોને વારીને પોતાને હાથે જ મનના ભાવ વિના મુનિને જેવી તેવી તુચ્છ વસ્તુ અત્યંત થોડી વહોરાવતી. કોઈ વખતે મુનિ કાંઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy