SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીપાલ રાજાની કથા ૨૩૧ આપનાર એવા તે ઉત્સવ વડે લગ્ન (મુહૂર્ત) સમયે ઘણી પ્રશંસા અને ઉત્સાહને પાત્ર એવો તે બન્નેનો વિવાહ થયો. ત્યાર પછી અશુભ કર્મના વશથી ત્યાં ઉગ્ર સર્પ નીકળ્યો, તે ત્રણ ભુવનનો સંહાર કરવામાં અત્યંત ભયંકર એવો જાણે બીજો યમરાજ હોય તેવો દેખાતો હતો. તેને જોઈને કલ્પાંતકાળના પવનથી સમુદ્રના કલ્લોલની જેમ સર્વે જનો ભયભીત થઈને ક્ષોભ પામ્યા, તે વખતે ભયથી સંભ્રાંત થયેલો વર પણ જલદીથી ઊઠીને ફાળ ભરતો નાસવા લાગ્યો તેવામાં તેનો પગ સર્પના શરીર પર જ આવ્યો, તેથી રોષ પામેલો સર્પ તેને ડસ્યો અને તરત જ તે વર મરણ પામ્યો. કહ્યું છે કે- “જુદી રીતે કાર્ય કરવા ધાર્યું હોય, પણ તેનું પરિણામ તો તેથી જુદું જ આવે છે. કેમકે કર્મને વશ પડેલા જીવોને એક ક્ષણમાં જ ઘણાં વિઘ્નો આવે છે.'' આવા સમયમાં આવું અયોગ્ય (અઘટિત) થયા છતાં પણ કેટલાક મનુષ્યોને જરા પણ વૈરાગ્ય થતો નથી. તેવા મનુષ્યોને ધિક્કાર છે. ત્યારપછી દિવ્ય નાટકના ધ્વનિને સાંભળતા રાજા વિગેરે સર્વ મનુષ્યો અત્યંત શોકસમૂહથી મુનિની જેમ મૌન (ભિત) થઈ ગયા. તથા ચિત્તમાં ચમત્કાર પામીને વિચાર કરવા લાગ્યો-“ આ અકસ્માત શું થયું? આ અસુરેદ્રના જેવી અથવા સુરેન્દ્રના જેવી ઋદ્ધિ હતી, તેમાં આમ અકસ્માત શું બની ગયું?' આ પ્રમાણે સર્વ લોકો ચિત્તમાં શોક સાથે ચમત્કાર પામ્યા. પ્રાતઃકાળે રાજાએ પોતાના સેવકોને મોકલીને નાની કન્યાના સમાચાર મંગાવ્યા. તે સેવકોએ આવીને સર્વ વૃત્તાંત યથાર્થ કહી બતાવ્યો. તે સાંભળીને રાજા અત્યંત વિસ્મય, લજ્જા અને આતુરતાથી પરાધીન થઈ ગયો. પછી અનિષ્ટ વસ્તુના ભારની જેમ અભિમાનના સમૂહનો ત્યાગ કરીને તે રાજા પોતાની કન્યાનું સન્માન કરવા તૈયાર થયો અને કર્મનું પ્રધાનપણું માનવા લાગ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy