________________
૨૩૦
જ્ઞાનપદ ભજીએ રે કરે છે, તેટલામાં તો તે જ ઠેકાણે તેણે જ બનાવેલું દેવવિમાન જેવું મણિમય ભવન જોયું અને તે ભવનમાં એક દિવ્ય પલંગ પર બેઠેલા પોતાના પતિને જોયા. તે વખતે તે રાજા છત્ર, ચામર તથા નાટક કરવામાં તત્પર એવા દેવ તથા દેવીઓના સમૂહથી પરિવરેલા ઈદ્રના જેવો શોભતો હતો. તે સર્વ જોઈને - “શું આ તે સ્વપ્ન છે ? કે ઈજાળ છે? કે માયાજાળ છે? કે મોહજાળ છે? આ તે શું છે?” એ પ્રમાણે વિસ્મય પામેલી તે સુંદર મુખવાળી કન્યાને રાજાએ કહ્યું કે “હે રતિના જેવી સુંદર પ્રિયા ! તું તારા મનમાં નાના પ્રકારના સંકલ્પવિકલ્પ કરીશ નહીં. મારા પર દેવતા પ્રસન્ન થયેલ છે, હું રાજા છું, અને તારા શુભ કર્મ વડે અહીં આવ્યો છું.” ત્યાર પછી રાજા પોતાનું સર્વ ચરિત્ર તેણીને કહીને બોલ્યો કે-“હે સુભગે ! (સારા ભાગ્યવાળી) તેં જે કર્મને પ્રમાણરૂપ કહ્યું, તે જ કર્મ તારા પર તુષ્ટમાન થયું છે. તારો પિતા ચંદ્ર રાજા મહા અજ્ઞાની છે અને મિથ્યાભિમાની છે, તેનું ફળ પણ તું પ્રાતઃકાળે જોઈશ, તે તારી સમૃદ્ધિ જોવાને અહીં આવશે.”તે સાંભળીને હર્ષથી ઉલ્લાસ પામેલી તે કન્યાએ સ્વામીના મહિમાને માટે આખી રાત્રિ દિવ્ય નૃત્ય કર્યું, કે જે નૃત્યથી ઈદ્રનું હૃદય પણ ચમત્કાર પામે. - અહીં ચંદ્ર રાજાએ “કોઢિયાને પોતાની કન્યા આપીને મેં મારા ક્રોધનું ફળ દેખાડ્યું, હવે સંતોષનું ફળ પણ શીધ્ર દેખાડું” એ પ્રમાણે વિચારીને ગર્વ પામેલા રાજાએ દેવસમાન રૂપવાળા એક યુવાન રાજકુમારને ઉત્સવસહિત પહેલી (મોટી) કન્યા આપી. તે જ દિવસના રાત્રિના બીજા પ્રહરમાં ઉત્કૃષ્ટ લગ્ન લઈને સર્વ સમૃદ્ધિથી આખા શહેરમાં વિવાહ મહોત્સવ આરંભ્યો. જગતના લોકોને હર્ષ
૧. કામદેવની સ્ત્રી રતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org