________________
૨૨૯
પૃથ્વીપાલ રાજાની કથા
થાય?’ પણ હે સુંદરી ! હજુ કાંઈ જતું રહ્યું નથી અને કાંઈ બગડી ગયું નથી. હજુ પણ તું સ્વેચ્છાથી જ્યાં જવું હોય ત્યાં જા અને બીજા કોઈ શ્રેષ્ઠ વરને વર, તેથી તું કૃતાર્થ થઈશ. અત્યારે કોઈ જોતું પણ નથી અને કોઈ કાંઈ પૂછતું પણ નથી, માટે તું ઇચ્છા પ્રમાણે જા. કેમકે લક્ષ્મીને તથા હરણના સરખા નેત્રવાળી સુંદર સ્ત્રીઓને સર્વ સ્થાને પોતાની મેળે જ માન મળે છે. અત્યંત નિંદવાલાયક એવો હું મારો પોતાનો નિર્વાહ કરવાને સમર્થ નથી, તો તારો નિર્વાહ મારાથી શી રીતે થશે? તેથી તારે અપવિત્ર વસ્તુની જેમ મારો દૂરથી જ ત્યાગ કરવો યોગ્ય છે.” આ પ્રમાણેનાં પતિનાં વચનો સાંભળીને માથું હલાવતી અને બે હાથ પોતાના કાનને ઢાંકતી તે કન્યા બોલી કે - “હા ! નાથ! દાહના હેતુરૂપ આવાં અયોગ્ય વચન આપ કેમ બોલો છો?'' જ્યારે અનંતા પાપની રાશિ ઉદયમાં આવે છે, ત્યારે જીવને સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે, એમ હે ગૌતમ ! તમે સારી રીતે જાણો.’’ આ પ્રમાણેના શ્રી મહાવીરસ્વામીના વચનથી જણાય છે કે સ્ત્રીનો જન્મ અતિ અધમ છે. તેમાં પણ જો કદાચ શીલ ભ્રષ્ટ થયું હોય તો તે અત્યંત ઉચ્છિષ્ટ અને અનિષ્ટ જાણવું. તેથી આ જન્મમાં તો મારે તમારાં ચરણ જ શરણરૂપ છે. કેમ કે સ્ત્રીઓને પોતાના કર્મે આપેલો પતિ દેવતુલ્ય છે” આ પ્રમાણે તે કન્યાના દૃઢ નિશ્ચયથી તે રાજાના ચિત્તમાં ચમત્કાર અને હર્ષ પામીને બોલ્યો કે હે ભદ્રે! આ પ્રમાણે તારા જન્મનો નિર્વાહ શી રીતે થશે? માટે હવે હું પણ જો કોઈ પણ પ્રકારે દિવ્ય શરીરવાળો અને નવા યૌવનવાળો થાઉં, તો જ યોગ્ય કહેવાય. કેમકે અસમાન યોગને વિષષ રસ કાંથી આવે?' એ પ્રમાણે કહીને દેવશક્તિથી તરત જ પોતાનું દિવ્ય રૂપ કરીને દેવની જેમ શોભતા તે રાજાએ પોતાની પ્રિયાને આશ્ચર્ય તથા હર્ષયુક્ત કરી. તે જોઈને “હે સ્વામી ! આ શું ?” એમ તેણી પ્રશ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org