________________
પૃથ્વીપાલ રાજાની કથા
અને દેવતાની સહાયથી કોઢી તેમજ દરદ્રી થઈને બેઠેલા પૃથ્વીપાળ રાજાને જોયો. પછી સેવકોએ તેને કોઈપણ પ્રકારે સમજાવી મહાપ્રયત્નથી બંદીવાનની જેમ રાજા પાસે લાવી ઊભો રાખ્યો. તે વખતે રાજાએ તે નાની કન્યાને કહ્યું કે- “જો તું કર્મને જ માને છે, તો તારા કર્મે આપેલા આ કોઢિયા દરિદ્રી વરને વર. જેથી તું કેવી કૃતાર્થ થાય છે, તે અમે જોઈશું.” આ સર્વ જાણીને લોકોમાં હાહાકાર થઈ રહ્યો, અને તેમનાં હૃદય કંપવા લાગ્યાં. તે વખતે પેલો કોઢિયો પણ સજ્જનપણાને લીધે તે કન્યાને પરણવા માટે નિષેધ કરવા લાગ્યો. તો પણ કર્મને જ પ્રધાન માનનારી અત્યંત સત્ત્વયુક્ત એવી તે કન્યાએ પાણિગ્રહણની રીત પ્રમાણે તે કોઢીયાનો હાથ ગ્રહણ કર્યો. તે વખતે તે સભામાં બેઠેલો એક જોશી આ વરકન્યાનો લગ્નસમય વિચારી ગુપ્ત રીતે (મનમાં) બોલ્યો કે-“આ સમયે જેવું શુભ લગ્ન વર્તે છે, તેવું લગ્ન બાર વરસે પણ મળવું દુર્લભ છે. માટે આ સ્ત્રી-પુરુષને સર્વથા કોઈ મોટા દેવ જેવુ અનુપમ સુખ પ્રાપ્ત થવું જોઈએ! એમ અત્યારના લગ્નબળથી જણાય છે.” તે વખતે રાજાના સખ્ત હુકમથી કોઈથી કાંઈ પણ બોલી શકાતું નહોતું એટલે સૌ મૌન રહ્યા. વિવાહ થયા પછી તુરત રાજાએ તે કોઢિયા વરને આજ્ઞા કરી કે- “ આ કન્યાને લઈને તું અહીંથી જા, અને આની પાસે દાસીની જેમ કામ કરાવજે.' પછી જાણે તેણીએ મોટી ચોરી કરી હોય તેમ તેણીને રાજાએ અતિ કોપથી કહ્યું . શું કે- “આ વરની સાથે જીવિત પર્યંત નિર્વાહ કરજે, અને ઉત્તમ સુખ પામજે.” તે સાંભળીને સાહસિક એવી તે કન્યા પણ બહુ સારું” એમ નમ્રતાથી કહીને દેવની જેમ તે વરનો હાથ ઝાલીને પિતાના ઘરમાંથી તેની લક્ષ્મીની જેમ નીકળી ગઈ. રાજાએ નિષેધ કરવાથી કોઈ દાસી પણ તેણીની સાથે જઈ શકી નહીં, અને
660
Jain Education International
For Personal & Private Use Only
૨૨૭
www.jainelibrary.org