SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ જ્ઞાનપદ ભજીએ રે ત્યારે તે ચમત્કાર પામ્યો, અને તે બન્નેને છોડી મૂક્યો. આ પ્રમાણે કર્મવાદી અને ઉદ્યમવાદી બન્ને વિવાદરહિત થઈને અત્યંત સુખી થયા. માટે હે બહેન ! સમગ્ર કાર્યને સાધનારું કર્મ જ છે, એમ તું પણ અંગીકાર કર. ત્રણ જગતના સમગ્ર જીવો જેને આધીન છે. એવું કર્મ જ પ્રધાન છે.” તે સાંભળીને પ્રત્યુત્તર દેવામાં અસમર્થ પરંતુ છળકપટથી બોલવાના સ્વભાવવાળી મોટી બહેન બોલી કે“ જો સર્વ કર્મના જે પ્રસાદ છે, તો તું જ બોલ તું કોના પ્રસાદથી (કૃપાથી) સુખી છે, અથવા માન પામે છે? તેથી આ સમગ્ર લોકો કોની કૃપાથી સુખિયા છે?” ત્યારે નાની બહેન બોલી કે “ અંતઃકરણમાં કૂડકપટ રાખીને કેવળ મુખથી મીઠું બોલવાથી શું ફળ છે? સર્વને પોતપોતાના કર્મના પ્રભાવથી જ સુખદુઃખ પ્રાપ્ત થાય છે. જીવોને પુણ્યનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે રાજા તેમના પર પ્રસન્ન થાય છે, અને સર્વ ઈષ્ટ વસ્તુને આપે છે. તથા પાપનો ઉદય થાય ત્યારે યમરાજાની પેઠે તે રોષ પામે છે અને સર્વ વાતું હરણ પણ કરે છે. કહ્યું છે કે - “સર્વ જીવો પૂર્વે કરેલા કર્મનું વિશેષે કરીને ફળને પામે છે. અપરાધમાં અથવા ગુણમાં (લાભમાં કે હાનિમાં) બીજો તો નિમિત્ત માત્ર જ છે.” આ પ્રમાણે નાની કુમારીનું વચન સાંભળીને મનમાં ક્રોધ પામેલો રાજા બોલ્યો કે“હે દુષ્ટ! હે દુઃપંડિતે! તું તારા કર્મનું ફળ તથા તારા વચનનું ફળ તત્કાળ જો.” એમ કહીને રાજાએ પોતાના સેવકોને આજ્ઞા આપી કે. “નગરમાં ચોતરફ શોધ કરી કોઈ મહાદરિદ્રી, કોઢિયો, ભિખારી અને રાંક પુરુષ હોય તેને બોલાવી લાવો.” પછી રાજાના હુકમથી ચારે તરફ શોધ કરવાને ભમતા રાજસેવકોએ નગરના ઉપવનમાં રહેલો પેલો કોઢિયો પુરુષ (રાજા) જોયો. અર્થાત્ પૂર્વે વર્ણન કરેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy