________________
પૃથ્વીપાલ રાજાની કથા
૨૨૫
સ્વસ્થપણે બેસવા ન દીધો, એ જ મારા કર્મનું પરાક્રમ જાણ. માટે મારે તો કર્મ જ પ્રધાન છે, ઉદ્યોગાદિક કાંઈપણ પ્રમાણ નથી. જિનેશ્વરોને પણ કર્મ જ અનંત સુખ આપે છે.” આ પ્રમાણે તેના બોલવાથી ઉદ્યમવાદીએ પણ તેની વાતને અંગીકાર કરી. કેમકે જેનું દૃષ્ટાંત પ્રગટપણે જોયું હોય એવા દાતિકને કોણ ન માને? પછી ભાઈની જેમ વહેંચીને તે બન્ને જણ લાડુ જમવા લાગ્યા. તેમાં એક લાડુમાંથી કર્મવાદી અમૂલ્ય રત્ન પામ્યો. એક ચિત્તવાળો થઈને જે જેનું બહુમાન કરે છે તે તેને અવશ્ય ફળની પ્રાપ્તિ કરી આપે છે. અને તેના પર દેવ, ગુરુ, ધર્મ, મંત્ર, રાજા અને શેઠ વિગેરેની જેમ તે પ્રસન્ન થાય છે. આ પ્રમાણે પ્રસન્ન થયેલા કર્મે કર્મવાદીને રત્ન આપ્યું ત્યારે સમકિત દર્શન પ્રાપ્ત થવાથી ભવ્ય પુરુષની જેમ તે ઉદ્યમવાદી પણ કર્મપક્ષને વિષે દેઢ બુદ્ધિવાળો થયો. હવે તે નિર્જન સ્થાનમાં (ઘરમાં) તે રત્નવાળા મોદકનો યોગ શી રીતે થયો તે કહું છું. કેમકે જે વાત સારી રીતે જાણવામાં ન આવે તે વાત શલ્યની જેમ હૃદયમાં ખૂંચે છે. (પ્યારા) તે ઘરમાં સમૃદ્ધિવાળો એક રાજાનો સેવક રહેતો હતો. તેની સ્ત્રીએ પોતાના ધણીથી છાનું પોતાના જમાઈને આપવા માટે એક શ્રેષ્ઠ રત્ન એક મોદકમાં નાંખીને ચાર લાડુ કર્યા હતા. તે મોદકોને એક વસ્ત્રના કકડામાં બાંધી જીવિતની પેઠે ગુપ્ત રીતે ઉદ્રેડના વચલા માટલામાં મૂક્યા હતા. અન્યદા કોઇ નિમિત્તથી રાજા તે સેવક પર કોપ પામ્યો, તેથી તેને કુટુંબ સહિત એ ઘરમાંથી કાઢી મૂક્યો. કેમકે રાજાનું માન તો સ્વપ્ન જેવું જ હોય છે. તે વખતે રાજાથી ભય પામેલો તે સેવક પોતાનું સર્વસ્વ તજીને કુટુંબ સહિત ઘરમાંથી નીકળી ગયો હતો. આ પ્રકારે કર્મસંયોગે તે ઘરમાં મોદકમાં નાખેલા રત્નનો યોગ કર્મવાદી પુરુષને પ્રાપ્ત થયો. આ સર્વ હકીકત રાજાના જાણવામાં આવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org