________________
૨૨૪
જ્ઞાનપદ ભજીએ રે કહ્યું કે, “હવે તમે બન્ને ઉદ્યમનું અથવા કર્મનું ફળ જુઓ. તમારી ઈચ્છાથી ભોજન કરો, અથવા ઈચ્છાથી બહાર નીકળો. ત્યારપછી ઉદ્યમવાદીએ વિચાર કર્યો કે, “કોઈ વખત કર્મ ફળીભૂત થાય છે, અને કોઈ વખત ઉદ્યમ પણ ફળનું કારણ થાય છે. એ રીતે સર્વ વસ્તુની પણ પોતપોતાના સમયને વિષે સિદ્ધિ રહેલી છે.” આ પ્રમાણે વિચાર કરીને કાંઈક વિલંબ કરી કર્મવાદી પ્રત્યે બોલ્યો કે - “હે ભાઈ ! હવે આપણે આ સ્થળે શું કરવા યોગ્ય છે, તે કહો.” કર્મવાદીએ જવાબ આપ્યો કે, પોતાની મેળે જ સૌ સારા વાનાં થશે. સુખેથી બેસી રહો, અથવા સુખેથી હરો ફરો. પરંતુ હું તો કર્મને જ પ્રમાણ કરીશ.” પછી ઉદ્યમવાદી તેના વચનની અવગણના કરીને ઊભો થઈ વિચાર કરવા લાગ્યો કે આ ઘરમાં કાંઈ પણ ખાવા યોગ્ય વસ્તુ હોય તો શોધી લઉં.”એમ વિચારીને તે ખોવાયેલી વસ્તુની જેમ ઘરમાં ચોતરફ જોવા લાગ્યો. તેવામાં તે ઓરડામાં ઉપરાઉપરી ગોઠવેલાં હાંલ્લાની ઉત્રેડમાં જોતાં વચલા માટલામાંથી વસ્ત્રના છેડાને ખેંચતા વસ્ત્રમાં વીંટેલા ઘણા ઘીવાળા, હર્ષકારક, ચાર લાડુ જોવામાં આવ્યા. પછી “હું મારા ઉદ્યમનું ફળ આ પુરુષને દેખાડું.” એમ ધારીને તેણે ગણપતિની આગળ જેમ લાડુ ધરે તેમ પેલા કર્મવાદીની પાસે તે લાડુ મૂકયા, અને બોલ્યો કે “જુઓ! હાથે પગે પાંગળા પુરુષના જ જેવું કર્મ છે કે નહીં? કેમકે તે કર્મ વડે પોતાનું કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. આ પ્રત્યક્ષ ઉદ્યમનું જ મોટું ફળ દેખાય છે. તે સાંભળીને કર્મવાદી હસીને બોલ્યો કે “તમે જે મોટા કષ્ટથી ફળને પ્રાપ્ત કર્યું, તે મારી પાસે લાવીને મૂકયું, તે મારા કર્મનું ફળ જ છે, પ્રસન્ન થયેલા મારા કર્મે જ તમને પણ આ ઉદ્યમ કરવાની બુદ્ધિ આપી છે. જો એમ ન હોય, તો તું પણ મારી જેમ બેસી જ રહ્યો હોય. પણ તને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org