________________
૨ ૨૩
પૃથ્વીપાલ રાજાની કથા (ઉદ્યમ) એ બેમાં મુખ્ય કોણ? પહેલું કે બીજું ? કે તે બન્ને સમાન છે ? તે કહો.” ત્યારે પહેલી કન્યા બોલી કે- “પરાક્રમની જેમ સર્વ સ્થળે ઉપકમજ (ઉદ્યમજ) ફળ સાધનનું કારણ છે. ઉપક્રમ વિનાનું કર્મ (પ્રારબ્ધ) નિષ્ફળ છે. ભોજન, વસ્ત્ર, ધન ઉપાર્જન, અન્યનું વશીકરણ, શત્રુનો નાશ, વિદ્યાની પ્રાપ્તિ અને રાજ્યનો લાભ ઈત્યાદિ સર્વ કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે “ઉદ્યમ વડે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનોરથો વડે સિદ્ધ થતાં નથી, કેમકે સૂતેલા સિંહના મુખમાં પોતાની મેળે જ મૃગલાં પ્રવેશ કરતાં નથી. તેથી બિલાડીની જેમ નિરંતર ઉદ્યમ જ કરવો. જેમકે બિલાડો જન્મથી જ તેની પાસે ગાય નથી તો પણ હમેશાં ઉદ્યમ કરવાથી દૂધ પીએ છે.” તે સાંભળીને બીજી કુમારી બોલી કે- “કર્મ (પ્રારબ્ધ) વિના ઉદ્યમનું શું ફળ? કાંઈ જ નહીં. જેમ બીજ વિના ખેતી કરવાનાં સર્વ ઉદ્યમ નિષ્ફળ છે, તેમ કર્મરૂપ બીજ વિનાનો ઉદ્યમ નિરર્થક છે. કહ્યું છે કે- “ઘણા ઉપાયો કર્યા છતાં પણ ભાગ્ય વિના તેનું ફળ પ્રાપ્ત થતું નથી. કેમ કે રાહુ અમૃત પીવા જતાં ઊલટો અંગરહિત થઈ ગયો. વળી ઉદ્યમી માણસનો ઉદ્યમ પણ કર્મ વિના ફળીભૂત થતો નથી. કેમકે- "દ્ધિ મનુસરળ-કર્મને અનુસરીને જ બુદ્ધિ પ્રવર્તે છે.” એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. માટે ઉદ્યમનું પણ કારણ હોવાથી કર્મ જ પ્રધાન (મુખ્ય) છે. હે બહેન!
આ સ્થળે તને હું એક દૃષ્ટાંત કહું છું કે તું સાંભળ– - કોઈ બે પુરુષો વાદવિવાદ કરતા રાજાની પાસે ગયા. તેમાં
એક કર્મનું અને બીજો ઉદ્યમનું સ્થાપન કરનાર હતો. રાજાએ તો તે બન્નેને જૂઠા પાડવા માટે ચોરની જેમ કોઈ કારાગૃહ જેવા ઘરમાં તરત જ હુકમ કરીને તેમને નાંખ્યા. તે ઘરમાં ગુપ્ત રીતે સર્વ ભક્ષ્ય - વસ્તુ રખાવીને તે ઘરનાં દ્વાર બંધ કર્યો, અને તે બન્નેને રાજાએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org