________________
૨૨૨
જ્ઞાનપદ ભજીએ રે કોઢિયા પુરુષ જેવું રૂપ ધારણ કરીને બેઠો.
તે કુશસ્થળ નગરમાં ચંદ્રની જેમ લોકોને આનંદ કરતો ચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા નામ વડે ચંદ્ર છતાં સૂર્યની જેમ શત્રુના તેજનો નાશ કરતો હતો એ આશ્ચર્ય છે. તે રાજાને ચંદ્ર જેવા મુખવાળી પ્રિયવચના અને પ્રિયવદના નામની બે રાણીઓ હતી. પહેલી રાણી ગુણ વડે અધિક હતી, અને બીજી ચંદ્રના જેવા સુંદર મુખવાળી હતી. પુત્રથી રહિત એવી તે બન્ને સ્ત્રીઓને અત્યંત પ્રીતિનાં પાત્રભૂત એક એક પુત્રી હતી. તેમાં પહેલીનું નામ સુલોચના અને બીજીનું નામ સુવદના હતું. તે બન્ને પુત્રીઓ સરખી ઉંમરવાળી, સુંદર અને સમાન રૂપવાળી, ગુણો વડે અત્યંત શ્રેષ્ઠ અને પૃથ્વી પર આવેલી દેવકન્યાઓ જ હોય, તેવી શોભતી હતી. યોગ્ય વયે તે બન્નેને રાજાએ ઘણી કળાઓ શીખવી. જ્યારે તે બન્ને યુવાવસ્થા પામી, ત્યારે એક દિવસ તેમની માતાઓએ તેમને વિશેષ આભૂષણાદિક વડે શણગારીને રાજા પાસે મોકલી. સભામંડપમાં બેઠેલા રાજાએ કમલ ઉપર હંસીઓની જેમ તેમને પોતાના ઉલ્લંગ (ખોળામાં બેસાડી. પછી પશ્નોત્તર આદિ અનેક પ્રકારની પૃચ્છાઓના તે બને કન્યાઓએ સાક્ષાત્ સરસ્વતીની જેમ તત્કાળ ઉત્તર આપ્યા. પછી રાજાની આજ્ઞાથી મોટા મોટા પંડિતોએ પણ તેમની કલા કુશળતાની પરીક્ષા માટે અનેક પ્રકારના પ્રશ્નો પૂછયા. તે દરેકના જવાબો પણ તે બન્ને કન્યાઓએ ઘણા જ સંતોષકારક આપ્યા.'
ત્યાર પછી રાજાએ પોતે બન્ને કન્યાઓને કહ્યું કે “મારા પ્રશ્નનો જવાબ તમે બેઉ બરાબર આપો કે- કર્મ (પ્રારબ્ધ) અને ઉપક્રમ
૧. આ સ્થળે ઘણા પ્રશ્નોત્તરો વિસ્તારવાળા છે, પણ તે શાસ્ત્રના અભ્યાસીને જ ઉપયોગી હોવાથી અહીં લખ્યા નથી. જિજ્ઞાસુએ આચારપ્રદીપ ગ્રંથમાંથી તે વાંચી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org