________________
પૃથ્વીપાલ રાજાની કથા
૨૨૧ તેથી જો દેવોથી પોતાનું વાંછિત પણ સિદ્ધ થતું નથી, તો તે બીજાનું શી રીતે સિદ્ધ કરશે? માટે દેવોથી પણ અન્યનું મનોવાંછિત સિદ્ધ કરાય જ નહીં. શું રંક માણસ બીજાને રાજ્ય આપી શકે? માટે હે દેવ ! તમે વિદ્વાન્ થઈને ગર્વથી ગ્રથિલની જેમ આમ કેમ બોલો છો ? સત્યવકતા મનુષ્ય પણ આવું અસત્ય બોલતા નથી, તો તમે દેવ થઈને કેમ બોલો છો ?” આ પ્રમાણે રાજાએ તત્ત્વ અને યુક્તિથી કહ્યું, તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલો યક્ષ બોલ્યો કે- “હે મહાપુરુષ ! તેં આ જે કહ્યું તે સર્વ સત્ય છે. દેવોને પણ બીજાની જેમ પૂર્વે કરેલા પોતપોતાના પુણ્યને અનુસારે જ કાર્ય સિદ્ધ થાય છે. તો પણ દેવની શક્તિ અચિંત્ય છે. તેથી તે ચિતવેલું કાર્ય કરી શકે છે. જેવું સુખ મનુષ્યોથી સાધી શકાતું નથી, તેવું સુખ દેવતા શીઘ્રતાથી સાધી શકે છે, માટે તું મારી પાસે કાંઈ પણ માગ. તું જે માગીશ, તે મારાથી અવશ્ય સિદ્ધ થશે, હું તે સર્વ તને આપી શકીશ. કેમકે દેવનું દર્શન નિષ્ફલ હોય જ નહીં. આ પ્રકારે સાંભળીને તે દેવનું વચન અત્યંત દૃઢ કરવા માટે રાજાએ કહ્યું કે- “હે દેવ જો તમારી ઈચ્છા એમજ હોય તો હું જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારું કાર્ય સિદ્ધ કરજો.” તે દેવે તેનું વચન અંગીકાર કર્યું. કેમકે જે પુણ્યવંત હોય છે, તેનું કાર્ય
અવશ્ય સિદ્ધ થાય છે, અને ચિંતવ્યા કરતાં પણ અધિક સમૃદ્ધિ - પ્રાપ્ત થાય છે. ત્યાર પછી હર્ષ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે- “અહીં પણ હું અધિક સુખી તો થયો, તે છતાં પણ પરીક્ષાને માટે હું પરદેશ ગમન કરું.” એમ વિચારીને તે રાજાએ યક્ષને કહ્યું કે- “હે દેવ ! મને હમણાં જ પરદેશમાં (દૂરદેશમાં પહોંચાડો.” એટલે દેવશક્તિથી તે રાજા વાયુની પેઠે ક્ષણવારમાં પરદેશ પહોંચ્યો. ત્યાં પરમ નીતિના અવધિરૂપ કુશસ્થલ નામનું નગર હતું. તે નગરના સમીપના ઉદ્યાનમાં મુસાફરની જેમ તે રાજા ગંધાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org