________________
૨૨૦
જ્ઞાનપદ ભજીએ રે દિવસે રાજા રાજ્યનો ભાર મંત્રીને સોપીને રાત્રિને સમયે એકલો . નગર બહાર નીકળી ગયો. માર્ગે ચાલતાં તેણે વિચાર કર્યો કે“મારા દેશમાં તો સમગ્ર લોકો મને જાણે છે, તથા સેવકની જેમ વિશેષ પ્રકારે મારી ભક્તિ કરશે, તેથી આ દેશ મૂકી પરદેશ જવું જોઈએ. પરંતુ જલ્દીથી દૂર દેશ શી રીતે જવાશે?” આ પ્રમાણેની : ચિંતાથી ઉદ્વેગ પામેલો રાજા માર્ગે ચાલતાં થાકી જવાથી એક વડવૃક્ષની તળે બેઠો. તે વખતે તે વૃક્ષ પર રહેનાર યક્ષને તેની સ્ત્રી યક્ષિણીએ કહ્યું કે- “હે પ્રિય! આપણા આશ્રયની નીચે બેઠેલો આ અભ્યાગત કોઈ મહાન પુરુષ જણાય છે, તેથી તે તમારે માનવાપૂજવા યોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પોતાને ઘેર ચાલીને આવેલા સત્યરુષનું યોગ્ય સન્માન કરવું જોઈએ, તે દુઃખમાં આવી પડેલ હોય તો તેમાંથી તેમનો સારી રીતે ઉદ્ધાર કરવો જોઈએ, અને દુઃખી પ્રાણીઓ પર દયા કરવી જોઈએ. આ પ્રમાણેનો ધર્મ સર્વ મતવાળાઓને સમંત છે.” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને રાજાને કહ્યું કે- “હે સજ્જન ! કહે, તારે શું ઈષ્ટ છે ? જે તું માગે તે આપવાને હું કલ્પવૃક્ષની જેમ સમર્થ છું.” તે સાંભળી વિસ્મય પામેલો રાજા બોલ્યો કે- “તમે કોણ છો ? અને કયે પ્રકારે ઈષ્ટ વસ્તુને આપવા સમર્થ છો? કારણ કે મનુષ્યોને તો અનેક પ્રકારના વાંછિત હોય છે તે વાત પ્રસિદ્ધ છે.” ત્યારે યક્ષ બોલ્યો કે- “મોટો દેવ છું, તથા મનોવાંછિતને પૂર્ણ કરવા સમર્થ છું. કેમકે અમારે સર્વ સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ મનથી જ સિદ્ધ થાય છે.” તે સાંભળીને રાજાએ કહ્યું કે, “હે દેવ ! તમે શા માટે જૂઠું બોલો છો? દેવોનું પણ મનોવાંછિત સિદ્ધ થતું નથી. દેવો પણ ઘણા દુર હોય છે કેમ કે ઈચ્છે રિઝક આઇ કોઇ ચન અને લોભ ઇત્યાદિ વડે દેવો પણ દુઃખી હોય છે. તેઓ બીજા પોતાથી અધિક ઋદ્ધિવાળાથી પરાભવ પામે છે. માટે તેમને પણ સુખ ક્યાંથી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org