________________
પૃથ્વીપાલ રાજાની કથા
૨૧૩
સન્માર્ગે લઈ જનાર થયું છે." શ્રુતજ્ઞાનનું આરાધન કરવાથી “પૃથ્વીપાલ” રાજાની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાન પણ સુલભ થાય છે. તેની કથા નીચે પ્રમાણે
પૃથ્વીપાલ રાજાની કથા
પૃથ્વીપુર નામના નગરમાં સમગ્ર પદાર્થોની પરીક્ષા કરવામાં વિચક્ષણ અને તાત્કાલિક બુદ્ધિવાળો પૃથ્વીપાલ નામે પૃથ્વીપતિ (રાજા) હતો. “ધર્મથી ઇષ્ટની પ્રાપ્તિ અને અધર્મથી અનિષ્ટની પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણેના શાસ્ત્રના વાક્યનો જુદા જુદા દર્શનમાં સંવાદ હોવાથી તે રાજાને શાસ્ત્રો ઉપર બહુમાન નહોતું. કારણ કે તે રાજા કેટલાએક પુણ્યવંત મનુષ્યોને નિરંતર દારિદ્ર અને આધિ વ્યાધિથી દુ:ખી થતા જોતો હતો, તથા કેટલાએક પુણ્યરહિત મનુષ્યોને સામ્રાજ્ય સુખને ભોગવતો જોતો હતો. તે ચતુર રાજા એકાદ (રાત્રે) નગરચર્ચા જોવાને ગુપ્ત વેષ ધારણ કરી ફરતો ફરતો કોઈ વિદ્યામઠ પાસે આવ્યો. તેણે પાઠકે બોલાતો એક ઉજ્જ્વળ યશની જેવો શ્લોક સાંભળ્યો
सर्वत्र सुप्रियाः सन्तः, सर्वत्र कुधियोऽधमाः । સર્વત્ર દુ:દ્ધિનાં દુ:દ્ધ, સર્વત્ર સુદ્ધિનાં સુલમ્ IIL I
અર્થ “સત્પુરુષો સર્વત્ર અતિ પ્રિય હોય છે, અધમ પુરુષો સર્વત્ર દુષ્ટ બુદ્ધિવાળા હોય છે, દુઃખી માણસોને સર્વત્ર દુ:ખ હોય છે, અને સુખી માણસોને સર્વત્ર સુખ હોય છે.”
આ શ્લોકમાં કહેલી બાબત સત્ય છે કે નહીં ? તેની પરીક્ષા કરવાની ઇચ્છાથી તે રાજાએ બીજે દિવસે કૃત્રિમ કોપ કરીને એક ઘણા ગુણો વડે પ્રસિદ્ધ એવા મહા સત્પુરુષને પોતાના સેવકો દ્વારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org