SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ભજીએ રે દર્શનાદિક, તે પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. કેમકે આપ્ત વિગેરેના ઉપદેશ વડે જ્યાં સુધી તત્ત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના પર શ્રદ્ધા શી રીતે થઈ શકે? તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે -“જ્ઞાન વડે પદાર્થો જણાય છે, દર્શન વડે તે પર શ્રદ્ધા થાય છે, ચારિત્ર વડે તેનું ગ્રહણ થાય છે, અને તપ વડે શુદ્ધ થવાય છે.’” તેથી કરીને જ પાંચે આચારોમાં જ્ઞાનાચાર સૌથી પ્રથમ કહેવાય છે.” તેથી કરીને જ પાંચે આચારોમાં જ્ઞાનાચાર સૌથી પ્રથમ કહેવાય છે, અને ત્યાર પછી દર્શનાચાર છે. દર્શનાચારની પછી ચારિત્રાચાર હોય છે. ચારિત્ર ગ્રહણ કર્યા પછી કર્મની નિર્જરા માટે તપસ્યા કરવી જોઈએ, માટે ચારિત્રાચાર પછી તપાચાર કહેવાય છે. જ્ઞાનાચાર આદિ ચારેને વિષે સર્વ શક્તિએ કરીને યત્ન કરવો, એકેને વિષે વીર્યને ગોપવવું નહિ, એ હેતુથી વીર્યાચારને છેલ્લો કહેલો છે. આથી જ્ઞાનનું પરમ ઉપકારીપણું સિદ્ધ થાય છે. જ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાનનું મુખ્યપણું હોવાથી તેના આરાધન માટે સર્વ શક્તિપૂર્વક યત્ન કરવો. પુષ્પમાલા પ્રકરણમાં કહ્યું છે કે“જો કદાચ આખા દિવસમાં એક જ પદ ભણી શકાય, અથવા પંદર દિવસમાં અર્ધ શ્લોક ભણી શકાય, તો પણ જો જ્ઞાન શીખવાની ઇચ્છા હોય તો તેટલો ઉદ્યમ પણ છોડવો નહીં.” ૨૧૨ સમ્યગ્દૃષ્ટિએ ગ્રહણ કરેલું સર્વ કોઈ શાસ્ત્ર શ્રુતજ્ઞાન જ છે; કહ્યું છે કે-“વ્યાકરણ, છંદસ્, અલંકાર, નાટક, કાવ્ય, તર્ક અને ગણિત વિગેરે રૂપ શ્રુતજ્ઞાન સમ્યગ્દષ્ટિના ગ્રહણ કરવાથી પવિત્ર થયું છતું જયવંતુ વર્તે છે.” સમગ્ર શાસ્ત્રની વાત તો દૂર રહો, પરંતુ એક શ્લોક વિગેરેનું જ્ઞાન પણ મોટા ગુણને માટે થાય છે. કહ્યું છે કે “જેમ દોરડાની રાશ કુમાર્ગે ચાલતા બળદને તથા ચોકડું ઘોડાને સન્માર્ગે લઈ જાય છે, તે જ પ્રમાણે જ્ઞાન પણ ‘આમ' નામના રાજાને, ‘મુંજ’ રાજાને તથા ‘યવ’ નામના ઋષિ વિગેરેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy