SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાચાર ૨૧૧ (અભાવનો) પ્રસંગ આવે, કેમકે છઘોને શ્રત વિના ક્રિયાકાંડનું જ્ઞાન શાથી કરવું?” તથા વિશેષાવશ્યકમાં પણ કહ્યું છે કે “શ્રુતજ્ઞાન મહર્દિક (સૌથી મોટું) છે, અને ત્યાર પછી કેવળજ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતાનો અને બીજા જ્ઞાનોનો વિભાગ કરનાર છે. અર્થાત્ શ્રુતજ્ઞાનથી જ શ્રુતજ્ઞાન અને બીજાં જ્ઞાનોની સમજણ પડે છે. શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગી સંબંધી જ્ઞાન. - જ્ઞાનાચારના આઠ ભેદ છે. જ્ઞાન આ ભવ અને પરભવને વિષે હિતકારક છે, કારણ કે પ્રાયઃ જ્ઞાનથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થાય છે. જ્ઞાન વિના વિપરીત ફળની પણ પ્રાપ્તિ થાય છે, અને તે સર્વ જનને અનુભવસિદ્ધ છે. જેમ કે - ભોજન, ગમન, આચ્છાદન (પહેરવું), શયન, બેસવું, બોલવું, થયેલી વાત કહેવી, સ્નાન, પાન, ગાયન, વિજ્ઞાન (કલા), દાન, ગ્રહણ, નિવાસ, પ્રીતિ, વૈર, સ્વજનતા, પિશુનતા, સેવા (નોકરી), યુદ્ધ, ઔષધ, મંત્રસાધન, દેવની આરાધના, થાપણ મૂકવી વિગેરે વિશ્વાસનાં કાર્યો, તથા રાજ્યનો વ્યાપાર એ વિગેરે સર્વ કાર્યોમાં જો કદાચ ભાવિ (થવાના) અનર્થનું જ્ઞાન હોય તો તેમાં મનુષ્ય શી રીતે પ્રવર્તે? અને તે જ અનર્થની શંકાવાળા ભોજનાદિકમાં ઈષ્ટ સિદ્ધિ થશે, એવું જો જ્ઞાન હોય તો તેમાં કેમ ન પ્રવર્તે ? કહ્યું છે કે દ્વેષાદિક સર્વ દોષો કરતાં પણ અજ્ઞાન એ મોટુ કષ્ટ છે, કેમકે અજ્ઞાનથી આવરેલો જીવ હિત અથવા અહિત પદાર્થને જાણતો નથી. અને જ્ઞાન એ પ્રયત્ન વિનાનો પ્રદીપ (દીવો) છે, નિરંતર ઉદય પામેલો સૂર્ય છે, ત્રીજું લોચન છે અને ચોરી ન શકાય કે હરણ કરી ન શકાય તેવું ધન છે,” વળી કહ્યું છે કે“પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણે જ્ઞાનથી જ થાય છે."તત્ત્વને વિષે શ્રદ્ધા રાખવા રૂપ જે દર્શનાદિક, તે પણ જ્ઞાનથી જ થાય છે.” તત્ત્વને વિષે શ્રદ્ધા રાખવા રૂપ જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy