________________
૨૧૦
જ્ઞાનાચાર*
આ જગતમાં ભવ્ય પ્રાણીઓના ચિત્તને ઉત્તમ રુચિ ઉત્પન્ન કરનાર શ્રીમાન્ જૈનમતને વિષે સારભૂત સમ્યક્ આચાર પાંચ પ્રકારનો કહ્યો છે- જ્ઞાન, દર્શન, ચરણ (ચારિત્ર), તપ અને વીર્ય. જો કે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, એ પ્રમાણે જ્ઞાનના પાંચ ભેદ છે, તો પણ અહીં કાળ, વિનય, વિગેરે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેવામાં આવશે, અને તે શ્રુતજ્ઞાનમાં જ સંભવે છે, તેથી અહીં શ્રુતજ્ઞાન વિષે જ અધિકાર છે, એમ જાણવું. શ્રુતજ્ઞાનથી જ બાકીનાં શાનો પ્રકાશે છે; કેમકે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ પ્રાયઃ બીજાં જ્ઞાનો પ્રાપ્ત થાય છે. વળી એક અપેક્ષાએ કેવળજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાનનું અધિકપણું છે (ઉત્કૃષ્ટ પડ્યું છે) તે વિષે પિંડનિર્યુક્તિમાં કહ્યું છે કે- “ ઓઘે કરીને (સામાન્ય રીતે) પિંડવિશુદ્ધાદિક શ્રુતજ્ઞાનને વિષે ઉપયોગવંત એટલે કે શ્રુતને અનુસારે “આ કલ્પ્ય છે, આ અકલ્પ્ય છે” એવી રીતે જાણતા શ્રુતજ્ઞાની જો કોઈ પણ કારણથી અશુદ્ધ આહાર લાવે; તો પણ કેવળજ્ઞાની (કેવળી) તેનો આહાર કરે છે. જો કેવળી તે આહાર ગ્રહણ ન કરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય. કારણ કે છદ્મસ્થ સાધુ શ્રુતજ્ઞાનના બળે કરીને જ શુદ્ધ આહારની ગવેષણા કરી શકે છે. તે સિવાય બીજી રીતે કરી શકતા નથી. તેથી જો કદાચ શ્રુત-જ્ઞાનીએ શ્રુતને અનુસારે ગવેષણા કર્યા છતાં પણ “અશુદ્ધ આહાર આણ્યો' એમ કહીને કેવળી તેનો આહાર ન કરે, તો શ્રુત ઉપર અવિશ્વાસ થાય, અને તેથી કોઈ પણ શ્રુતનું પ્રમાણ ન કરે તથા શ્રુતજ્ઞાનના અપ્રામાણ્યથી સર્વત્ર ક્રિયાના લોપનો
જ્ઞાનપદ ભજીએ રે
*
આ વિભાગ શ્રી આચાર પ્રદીપ ગ્રંથમાંથી લઈને તેનું ભાષાંતર કરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org