________________
ઉજમણાનો વિધિ
૨૦૯ કળશમાં લાવ્યા છે. માટે તપસ્યાને પ્રાંતે અવશ્ય યથાશક્તિ ઉજમણું કરવું.
જ્ઞાનપંચમી તપના ત્રણ પ્રકાર આ તપ કેટલી મુદત સુધી કરવો તેના પ્રમાણને અંગે તેના ત્રણ પ્રકાર છે. લઘુ પંચમી તપ, જ્ઞાનપંચમી તપ અને ઉત્કૃષ્ટ પંચમી ત૫.
૧ લઘુ પંચમી તપ- આ તપ પોષ અને ચૈત્ર માસ વર્જીને બીજા કોઈપણ માસની શુકલ પંચમીથી શરૂ કરવો. અને દરેક માસના શુકલ ને કૃષ્ણ બન્ને પક્ષમાં પંચમીને દિવસે ઉપવાસ કરવો. એ પ્રમાણે એક વર્ષ પર્યત ૨૫ ઉપવાસ કરવા. બીજી વિધિ અને ઉજમણું વિગેરે જ્ઞાનપંચમીના તપ પ્રમાણે કરવું.
૨ જ્ઞાનપંચમી તપ- આ તપ માગશર, માઘ, ફાગુન, વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢ એ માસમાંથી કોઈપણ માસની શુકલપંચમીએ ગ્રહણ કરવો અને પાંચ વર્ષને પાંચ માસ પર્યત કરવો. એટલે ૬૫ ઉપવાસે આ તપ પૂર્ણ થાય છે. આ તપ જ પ્રાયઃ વિશેષ કરવામાં આવે છે. તે દર માસની શુકલપંચમીએ જ કરવામાં આવે છે. તેની વિધિ આ બુકના પ્રારંભમાં જ લખવામાં આવી છે. જો એ ઉપવાસને દિવસે કરવામાં આવે તો જિનભક્તિ સવિશેષે કરવી. પંચજ્ઞાનની પૂજા ભણાવવી. ફળ નૈવેદ અનેક પ્રકારના ઉત્તમ ઉત્તમ પ્રભુ પાસે ઢોકવા અને પછી ચૈત્યવંદન સ્તવનાદિ વડે ભાવપૂજા કરવી. - ૩ ઉત્કૃષ્ટ પંચમી તપ- આ તપ થાવજીવિત કરવામાં આવે છે અને દરેક શુકલપંચમીએ ઉપવાસ કરવામાં આવે છે. તેનો વિધિ પૂર્વે બતાવ્યા પ્રમાણે જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org