SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જ્ઞાનપદ ભજીએ રે ૧૮ ડડાસણ (પગ લુંછવાના ને રાત્રે વાપરવાના), ૧૯ સ્થાપનાચાર્ય, ૨૦ સ્થાપનાચાર્યની મુહપત્તિઓ વિગેરે, ૨૧ ગુચ્છા, ૨૨ વાસક્ષેપના વાટવો, ૨૩ કંદોરા વિગેરે કરવાના દોરા. શ્રાવકના ઉપયોગમાં આવે તેવા - ૧ ચરવળા, ૨ મુહપત્તિ, ૩ કટાસણા, ૪ નવકારવાળી (સોનાની, ચાંદીની, પરવાળાની, સ્ફટિકની, અકલબેરની, સુખડની, સુતરની, અગરની, કેરબાની, રુદ્રાક્ષની વિગેરે.) ૫ ધોતી, ૬ ઉત્તરાયણ, ૭ ઘડી, ૮ ઘડિયાળ, ૯ પાંચપદની ટીપ, ૧૦ નવપદની ટીપ, ૧૧ દેરે લઈ જવાના વાટવા, ૧૨ જોરણી, ૧૩ નવકારવાળીની ખલેચી ત્રણેનાં મિશ્ર ઉપકરણો જ્ઞાનની પાછળ, પ્રભુની પાછળ તેમજ ગુરુની પાછળ બંધાય તેવા તેમજ તેની સાથે જ કરવામાં આવે છે તેવાં ઉપકરણોને મિશ્ર ઉપકરણો ગણવામાં આવ્યાં છે. ૧ પંઠિયું, ર જરમર ચંદરવો, ૩ તોરણ, ૪ રૂમાલ. આ ચાર વાનાંની સાથે જ પાઠાં, પાટલી, વાટવા, જોરણી, ખલેચી, કવળી, ચાબખી, દરે લઈ જવાની કોથળી વિગેરે કરાવવામાં આવે છે ને ઠવણી બંધાવવામાં આવે છે. આ સઘળી ચીજોની સંખ્યા જ્ઞાનપંચમી તપના ઉજમણા માટે ઉપર જણાવી છે. ઉપરાંત નવપદનું ઉજમણું હોય તો નવ નવ, મૌન અગ્યારશનું હોય તો અગ્યાર અગ્યાર ને વીશ સ્થાનક તપનું હોય તો વીશ વીશ, કર્મસૂદન તપનું હોય તો આઠ આઠ અથવા ચોસઠ ચોસઠ એ પ્રમાણે સમજવી. ઉજમણું કરવાથી તપના ફળની વૃદ્ધિ થવા સંબંધી શ્રી પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં કહ્યું છે. તેમજ શ્રી પદ્યવિજયજી મહારાજ નવપદની પૂજામાં અને શ્રી વીરવિજયજી ચોસઠ પ્રકારની પૂજાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy