________________
૨૧૪
જ્ઞાનપદ ભજીએ રે બોલાવ્યો, અને તેને કહ્યું કે “ હાથીની જેમ મદાંધ થયેલા તારા પુત્રે મારી આપેલી આજ્ઞા રૂપી અર્ગલા (સાંકળ) ને મારા ચર પુરુષના સમક્ષ બળથી તોડી નાંખી છે. આ પ્રમાણે અત્યંત કૃત્રિમ કોપ કરીને દોષનો આરોપ કરી રાજાએ તેને તેના પુત્ર સહિત ચોરની જેમ કારાગૃહમાં નાખ્યો. અને પોતાના અતિ વિશ્વાસુ ચરપુરુષોને ગુપ્ત રીતે તેમની વાતો સાંભળવા માટે આજ્ઞા કરી. પછી રાજાએ કપટથી પોતાના શરીરમાં અત્યંત વ્યાધિ થયાનું પ્રગટ કર્યું તેથી ગુપ્તચર પુરુષો પણ પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા કે - “આજે રાજાનું શરીર આયુષ્યના અંત જેવું થયું જણાય છે. આવા આકસ્મિક મહાવ્યાધિથી જીવિતની આશા ક્યાંથી જ હોય?” આ પ્રમાણે નજીકના ચાર પુરુષોથી થતી વાત સાંભળીને સ્વભાવથી જ પરહિતકાંક્ષી એવા તે પિતા અને પુત્ર મહા શોક પામ્યા અને નિઝરણાંની જેમ ચક્ષુમાંથી અશ્રુ મૂકવા લાગ્યા. પછી તે બન્ને પરસ્પર હૃદયમાં રહેલી વાતો કરવા લાગ્યા કે – “હા! હા! રાજાના શરીરમાં આ અકસ્માત શું થયું? ગમે તે થયું હોય પણ પરિણામે આ રાજાનું કાંઈ પણ અહિત ન થાઓ. જો કે આ રાજાએ આપણને સહસાકારે ફોગટ દુઃખમાં નાખ્યા છે, અને આ રાજાનું મરણ થયેથી આપણે જલ્દી છૂટી શકીએ ખરા. કારણ કે નવો રાજા રાજ્ય મળવાથી સમગ્ર કેદીઓને છોડી મૂકે છે અને કેદીઓને છોડ્યા પછી જ નવા રાજાને અભિષેકોત્સવ કરવાનો રિવાજ છે, એ સિવાય બીજી રીતે આપણે છૂટીએ તેવું કોઈ પ્રકારે જણાતું નથી. વળી આજ્ઞાભંગનો આક્ષેપ કરનાર અને અત્યંત ક્રોધાયમાન થયેલો આ રાજા આપણને કોણ જાણે કેવી કદર્થના પમાડશે? તેની ખબર પડતી નથી. કહ્યું છે કે-“રાજાઓની આજ્ઞાનો ભંગ, મહા પુરુષના માનનું ખંડન, અને બ્રાહ્મણની વૃત્તિ (જીવિકા)નો નાશ, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org