SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજમણાનો વિધિ ૨૦૫ જઘન્ય પાંચ, મધ્યમે પચ્ચીશ ને ઉત્કૃષ્ટ એકાવન મૂકવામાં આવે છે. અથવા તો કિંમતના પ્રમાણમાં વધારે કિંમતવાળી પાંચ, મધ્યમ કિંમતવાળી પચ્ચીશ ને ઉત્કૃષ્ટ એકાવન મૂકવામાં આવે છે. અથવા તો કિંમતના પ્રમાણમાં વધારે કિંમતવાળી પાંચ, મધ્યમ કિંમતવાળી પચ્ચીશ અને સામાન્ય કિંમતવાળી એકાવન મૂકવામાં આવે છે. // ઉજમણા નિમિત્તે મુખ્ય કરવાનાં કાર્યો // ૧ પાંચ નવાં ચૈત્યો કરાવવાં. ૨ પાંચ પાંચ રનની, સુવર્ણની, ધાતુની, હીરાની, માણેકની, મોતીની, નીલમની, પરવાળાની, સ્ફટિકની, આરસની - એમ ઉત્તમ ઉત્તમ અને કિંમતી વસ્તુઓની પ્રતિમાઓ નવી ભરાવવી. ૩ પાંચ અંજનશલાકાઓ કરાવવી. ૪ પાંચ પોસહશાળાઓ (ઉપાશ્રય) કરાવવી. ૫ પાંચ દીક્ષા મહોત્સવ કરવા. ૬ પાંચ વડી દીક્ષાના, પન્યાસપદવીના અને આચાર્યપદવીના મહોત્સવો કરવા. ૭ પાંચ વખત સંઘ કાઢી તીર્થયાત્રા કરવી-કરાવવી. ૮ પાંચ મહાતીર્થોની યાત્રા કરવી. ૯ પાંચ મોટા સ્વામીવાત્સલ્ય (નવકારશી) કરવાં. ૧૦ પાંચ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરાવનારી જૈન વિદ્યાશાળાઓ સ્થાપવી. ૧૧ પાંચ ચૈત્યો પર ધ્વજારોપણ દંડકળશારોપણ કરવાં. ૧૨ શ્રી સંઘને (શ્રાવક-શ્રાવિકાઓને) પહેરામણી કરવી. ૧૩ શ્રી ફળાદિ ઉત્તમ ઉત્તમ વસ્તુઓની પ્રભાવનાઓ કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy