SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જ્ઞાનપદ ભજીએ રે // ઉજમણાનો વિધિ // કોઈપણ પ્રકારના તપ સંબંધી ફલની વૃદ્ધિ માટે ઉદ્યાપન કરવાની આવશ્યકતા છે. ઉદ્યાપન (ઉજમણું) કરવાથી તપનું ફળ વૃદ્ધિ પામે છે. અન્ય દર્શનોમાં પણ તપનું ઉથાપન કરવાની પ્રવૃત્તિ છે. ઉજમણું તપ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે, તેમજ તપના મધ્યમાં પણ કરી શકાય છે. તપ પૂર્ણ થયા પછી પણ જ્યાં સુધી ઉજમણું કરવાની જોગવાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેટલાક ભવ્યો તપ કરવાનું ચાલું રાખે છે અને પહેલી જોગવાઈએ અવશ્ય ઉજમણું કરે છે. ઉજમણું કરવામાં સારા શક્તિવાળા-શ્રીમંત ગૃહસ્થ તો પોતે એકલા જ કરે છે અને તે પ્રસંગે કોઈપણ તીર્થની કે સમવસરણની રચના કરી અટ્ટા મહોત્સવ કરે છે. અને સ્વામીવાત્સલ્યાદિ પણ પોતે જ કરે છે. બીજા સામાન્ય સ્થિતિવાળાઓ તે પ્રસંગનો લાભ લઈને પોતે કરવા ધારેલા એક બે કે પાંચ છોડ તેની સાથેની વસ્તુઓ સહિત તે મંડપની અંદર જ પધરાવે છે. ઉજમણું કરવામાં મુખ્ય તો ચંદરવો, પંઠિયું, તોરણ ને રૂમાલઅતલસ, સાટમ, કીનખાબ, લપેટો અથવા ઝીક ચળક વિગેરેના ભરાવીને કરાવવામાં આવે છે. ઉપરાંત બીજી જે જે વસ્તુઓ મૂકવામાં આવે છે. તેમાં જ્ઞાન, દર્શન ને ચારિત્રનાં ઉપકરણો મૂકવામાં આવે છે. તેની અંદર જો જ્ઞાનના આરાધન નિમિત્તનું ઉજમણું હોય તો જ્ઞાનનાં ઉપકરણો, દર્શનના આરાધન નિમિત્તનું હોય તો દર્શનનાં ઉપકરણો અને ચારિત્રના આરાધન નિમિત્તનું હોય તો ચારિત્રનાં ઉપકરણો વિશેષ મૂકવામાં આવે છે. દર્શન એટલે સમકિત તેના આરાધનમાં પ્રબળ કારણભૂત જિનચૈત્ય ને જીનબિંબ સમજવા. એટલે તે સંબંધી ઉજમણામાં દેરાસરમાં વપરાતાં ઉપકરણો વિશેષ મૂકવાં. જ્ઞાનપંચમીના ઉજમણામાં છોડ તેમજ વસ્તુઓની સંખ્યા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy