________________
૧૯૩
શ્રી દેવવિજયજીકૃત પાંચમની સજઝાય
ચોપાઈ સદગુરુના હું પ્રણમું પાય, સરસતિ સામિની કરો પસાય; પંચમી તપ ફલ મહિમા સુણો, જે કરતાં જગ શોભા ગણો. ૧ જ્ઞાન અથાહ વધે વળી જેહ, પંચમ જ્ઞાન લહે ભવી તેહ; પંચમી ગતિ પામે સુખ સાર, એહ સંસારનો પામે પાર. ૨ સોળ રોગ તક્ષણ ઉપશમે, તેઉકાય જીમ શિતને દમે; તિમ એ તપ છે રોગનો કાળ, જુઓ વરદત્ત ગુણમંજરી બાલ. ૩ પંચ વરસ ને પંચ જ માસ, કરીએ તપ મનને ઉલ્લાસ; અંતે ઉજમણું કીજીએ, પોતે તપનું ફળ લીજીએ. ૪ ઉજમણા વિણ ફળ તે નહી, ઈમ એ વાણી જિનવર કહી; શ્રી વીર્જરત્ન તણો એ શિષ, વાચક દેવની પૂરો જગીશ. ૫ - શ્રી વિજયલક્ષ્મીસૂરિકૃત પાંચમની સઝાય
ઢાળ પહેલી (મારું મન મોહ્યું રે સુંદર શામળિયારે-એ દેશી) શ્રી વાસુપૂજ્ય જિનેશ્વર વયણથી રે, રૂપકુંભ વચનકુંભ મુનિ દોય; રોહિણી મંદિર સુંદર આવિયા રે, નમી ભવ પૂછે દંપતી સોયા I/૧/l ચઉનાણી વયણે દંપતિ મોહિયારે / એ આંકણી // રાજા રાણી નિજ સુત આઠનું રે, તપફળ નિજ ભવધારી સંબંધ; વિનય કરી પૂછે મહારાજને રે, ચાર સુતાના ભવ પરબંધ
ચollર //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org