________________
શ્રી હરિભદ્રસૂરિવિરચિતં જ્ઞાનાષ્ટકં
૧૪૯ સરખી (વિનશ્વર) લાગે છે.” અહીં પ્રાયઃ કરીને વૈરાગ્યનું જે કારણ કહ્યું, તે રાજ્યાદિક મેળવવામાં તત્પર થયેલા એવા ભરતાદિકની પેઠે કષાયનો ઉદય વિશેષ હોતે છતે તે જ્ઞાન વૈરાગ્યનું કારણ ન પણ થાય તેમ જણાવવા માટે કહ્યું છે.
હવે ત્રીજું જે “તત્ત્વસંવેદન”જ્ઞાન તેના પ્રતિપાદન માટે કહે છેस्वस्थवृत्तेः प्रशांतस्य, तद्धेयत्वादि निश्चयम् । तत्त्वसंवेदनं सम्यग्, यथाशक्तिफलप्रदम् ।। ६ ।।
અર્થ– સ્વસ્થ વૃત્તિવાળા, તથા શાંત એવા પુરુષને, વસ્તુના હેયપણા આદિકમાં નિશ્ચયવાળું “તત્ત્વસંવેદન” જ્ઞાન થાય છે. અને તે સારી રીતે યથાશક્તિ ફળને દેનારું છે. ૬ - ટીકાનો ભાવાર્થ– આકુળતા રહિત છે વચન અને કાયાના
વ્યાપારનું વર્તવાપણું જેને તથા રાગદ્વેષ આદિના ઉપશમવાળા એવા માણસને “તત્ત્વસંવેદન” જ્ઞાન થાય છે. હવે તે જ્ઞાન કેવું છે? વસ્તુતત્ત્વના હેયપણા, ઉપાદેયપણા અને ઉપેક્ષણીયપણાનો છે નિશ્ચય જેમાં એવું છે. એ “તત્ત્વસંવેદન” જ્ઞાન સમ્યક પ્રકારે પુરુષોને, સંઘયણ આદિના સામર્થ્યને અનુસાર વિરતિરૂપી અનંતર . ફળ તથા પરંપરાએ મોક્ષફળને દેનારું છે. હવે તે જ્ઞાનના લિંગાદિને પ્રતિપાદન કરતાં કહે છે
न्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत्प्रकीर्तितम् । सज्ज्ञानावरणापायं, महोदयनिबंधनम् ॥ ७ ॥
અર્થ- મોક્ષમાર્ગ આદિકને વિષે શુદ્ધ પ્રવૃત્તિ આદિથી જે અનુમાન કરાય છે, તેને તત્ત્વસંવેદન જ્ઞાન કહેલું છે, તથા તે ઉત્તમ જ્ઞાનના આવરણનો ક્ષયોપશમ કરનારું અને મોક્ષના કારણરૂપ છે.૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org